________________
જ્ઞાની ભક્તની પ્રતિભા તે ભાષાના ગ્રંથો સરળતાથી વાંચી લેતા ને યથાર્થ સમજતાં. તત્વજ્ઞાન, એમનો શેખનો પ્રિય વિષય લાગે છે. પડ્રદર્શન, જૈન ગ્રંથ વગેરે તેમણે વાંચ્યાં હતાં, એવી માહિતી મળે છે. એમ કરતાં તેમણે પિતાના વિચારોને ઠીક ઠરેલ અને ચોક્કસ કર્યા હોય એમ લાગે છે. પંદરમાં વર્ષમાં લખેલા તેમના “સ્ત્રીનીતિબોધક” નામના કાવ્યગ્રંથ પરથી અને સત્તરમે વર્ષે લખેલા “બાલાવબોધ – મોક્ષમાળા' નામની ૧૦૮ શિક્ષાપાઠોની એક માળા પરથી આ અનુમાન કરાય. એ ગ્રંથોમાં એમણે જે નીતિ બોધી છે અને ધર્મતત્ત્વ પ્રતિપાદન કર્યું છે, એ પંદર વર્ષના કિશેર પાસેથી, બાકી, કેમ કરીને સંભવે? એમ કહી શકાય કે, જે જ્ઞાનપ્રાપ્તિ એમણે પોતાની મેળે અપ્રમાદથી સ્વાધ્યાય દ્વારા આ વર્ષે દરમ્યાન કરી, તે એવી તો પ્રબળ માનપૂર્વક ગાંઠેલી હતી કે, એ નાની વયે પણ એને અક્ષરબદ્ધ કરી ચોક્કસ કરવાનું એમને સહજ
કુરણ થયું અને એમણે આ બે ગ્રંથો લખ્યા. એમ લખીને પિતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપ્યું અને જ્ઞાનપ્રાપ્તિની શ્રવણ આગળથી મનનની પાયરી સાધી. સાધકની શ્રવણદશા પછી આ દશા સહજભાવે આવે છે. શ્રીમના જીવનમાં એ આટલી નાની વયે બન્યું એ એમની તીવ્ર પ્રતિભાને જ આભારી ગણાય.
આ પ્રતિભાને દર્શક વિભાગ તે આ કાળે તેમનામાં પ્રગટેલી તેમની અવધાનશક્તિ હતી. એ શક્તિ એમણે જ્ઞાનપૂર્વક ખીલવતાં ખીલવતાં શતાવધાન સુધી પહોંચાડી, અને તેને જાહેર પ્રયોગ પોતાની ૧૯ વર્ષની વયે દેખાડ્યો. તે વેળાનાં અંગ્રેજી તથા ગુજરાતી છાપાંમાં તેને માટે તેમની જે પ્રશંસા કરવામાં આવી હતી એ એટલી જ ભારે .
હતી.
- શ્રીમદના નાનપણમાં બીજી એક ચમત્કારી શક્તિ પ્રગટી હતી, તે જાતિસ્મરણની. તે પિતાના પૂર્વજન્મ જાણીને તે પરથી કહેતા કે,
પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું” અને એમ જણાવીને ૨૬ મા વર્ષમાં લખેલા એક પત્રમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org