________________
જ્ઞાની ભક્તની પ્રતિભા " એમાંથી આપણ સામાન્ય લોકો એટલું ગ્રહણ કરીએ કે, અનન્ય જિજ્ઞાસા અને અવિરત યત્નની ઉત્કટતા જોઈએ. કવિ રાયચંદભાઈને વિષે એટલું ચોક્કસ સાચું કે, જે પ્રતિભાશક્તિ ને જિજ્ઞાસા શ્રીમહ્માં હતી, તેણે તેમને માતાપિતા પાસેથી મળેલા ધર્મ-વારસાને વેલાવી તેમાંથી આ નવનીત નિપજાવ્યું હતું.
ઉપરાંત, આ અરસામાં એક બીજી મહત્ત્વપૂર્ણ ઘટના એ બની કે, તેમણે સં૦ ૧૯૪૪ની સાલમાં, એટલે વીસ વર્ષની વયે, લગ્ન કર્યું ને પોતાના જીવનમાં એક ભારે ફેરફારની શરૂઆત કરી. તેમનાં પત્ની તે ગાંધીજીના પરમ મિત્ર સ્વ૦ ઝવેરી રેવાશંકરભાઈ મહેતાના મોટાભાઈનાં પુત્રી થાય. આ લગ્નથી શ્રીમદ્રને બે પુત્ર અને બે પુત્રી થયાં હતાં. તેમાંથી એક નામે જવલબહેન અત્યારે હયાત છે, એમ એક મિત્રો હમણાં તા-૨૭-૧૨-૬૭ લખ્યું.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org