________________
જીવ, જગત, અને તેનું અધિષ્ઠાન -મ”:- જગતની સચરાચરતાનો સાર ક્ષરતા છે; તેમાં પ્રવર્તતા
દૈવત રૂપી પુરુષાર્થને સાર જીવાત્મા પુરુષ છે; અને આ પુરુષને પિતાનો મૂળભાવ “સ” એવો આત્મા છે. એમાં પહેલાં બે અનુભવ
સ્થાન મેળવતાં જ તે ચરક્ષર-જગત રૂપી સંસારના અધિષ્ઠાન તરીકે તેમાં સૂત્રમણિગણવત્ રહેલો તેના કર્તા-હર્તા-ભર્તાપણાના તત્વરૂપે અચલઅક્ષર-જગદીશ-ભાવ રહેલો છે, તે પામવો અને અંતરની ઊંડી અનુભૂતિની દૃઢતાને જોરે કળી લઈને આત્મસાત – આત્મવત્ કરવો જોઈએ છે. અધિદેવતના જ પરમાર્થ રૂપે આ અધિયજ્ઞ-ભાવ છે, જે આ બધાનું પરમ ધામ – પરમ અધિષ્ઠાન – પરમ સત્ય-રૂપ પરમેશ્વર છે. શ્રીમદ્ આ સમયે (સં. ૧૯૪૭) આ પ્રકારની પ્રતીતિ ઉપર પહોંચી ચૂકે છે; જે કાળને તેમણે પછી લખેલા પિતાના આત્મકથન-કાવ્યમાં આમ વર્ણવ્યો છે –
“ઓગણીસેં ને સુડતાલીસે
સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા,
નિજ સ્વરૂપ અવભાસ્યું રે.” આ જ સ્થિતિને ગીતાકાર “સ્થિતપ્રજ્ઞા' કહે છે; – કે જે સ્થિતિ શ્રત-શ્રોતાવ્યાદિથી પેદા થતે જે કુલ મેહ-કલિલ છે, તેમાંથી નિર્વેદ પામ્ય પ્રાપ્ત થાય છે (અ) ૨- પર, ૫૩ ૮૦). શ્રીમદ્ આ વર્ષે આ પ્રકારનું સ્થિત પ્રજ્ઞાન અને તેમાંથી સહજભાવે સાંપડતી આત્મશ્રદ્ધા તેમ જ દૃઢતા પામે છે, અને “નિજ સ્વરૂપ ” જે આત્માનું સ” છે, તેની ઝાંખી કરે છે.
આ કાળે લખેલે બીજો એક પત્ર (મુંબઈ, ફાગણ સુદ ૫, રવિ, ૧૯૪૭) જોઈએ તો જગત વિષે સીધું તેમાં બયાન કરીને કહ્યું છે :
અભેદ આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org