________________
જ્ઞાની ભક્તની પ્રતિભા અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં હોય, કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ-તિમિર. જેને છે, એવાં પ્રાણીની કલ્પનાની કોઈ પણ કલ્પના “સત’ જણાતી નથી, અને “સત્ની નજીક સંભવતી નથી. “સ” છે; તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદુ) છે; કલ્પનાથી “પર” (આઘે). છે; માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સત્’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ
થાય.”
આ પ્રમાણે તત્ત્વ-સિદ્ધાન્ત કહીને તેની પ્રતીતિની દૃઢતા બતાવતું નીચેનું આગળ તે પત્રમાં લખ્યું છે :
આ જે વચને લખ્યાં છે, તે સર્વ મુમુક્ષને પરમ બંધનરૂપ. છે, પરમ રક્ષક-રૂપ છે; અને તેને સમ્યક પ્રકારે વિચાર્યોથી પરમ પદને આપે એવાં છે. એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદર્શનનું સર્વોત્તમ તત્ત્વ, અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. માટે ફરી. ફરીને તેને સંભારજો, વિચારજો, સમજજો – સમજવા પ્રયત્ન કરજો, એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય. કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં ‘સ” જ કહ્યું છે. એ સમજવા માટે ઘણો જ વખત ગાળો.” (શ્રી.૧-૩૦૦).
વસ્તુ એ છે કે, સાધકે તેના જીવનમાં “સત’ વિષેની ઉપર વર્ણવેલી દૃઢ પ્રતીતિ પ્રાપ્ત કરવી જોઈએ; એને ગર્ભાઈ એ થયો કે, જગત અને તેમાં પ્રવર્તતા પિતાના લોકજીવન પ્રત્યે તે અમુક અચૂક દૃષ્ટિ-ભાવ લાભો હશે. આ જ દૃષ્ટિભાવને સારાંશ ગીતાકાર તેની જ્ઞાન-વિજ્ઞાન-નિરૂપણની કથામાં ત્રણ સૂત્રપદોમાં કહે છે- “ મૂર્ત શો માવઃ”; “પુષ: ૨ પર્વવત્ત”; અને “સ્વમશઃ અધ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org