________________
જીવ, જગત, અને તેનું અધિષ્ઠાન ૧૭૯ પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તવું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે; પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું. એ રૂપ “સ” નહીં હોવાથી, ગમે તે રૂપે વર્ણવી, તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળ-જીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગ-જીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ “સ” તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. “ભ્રાંતિ'નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે, તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક? – એમ વિચારતાં, વિચારતાં, એને એક ભ્રાંતિને વિષય જાણી, જ્યાંથી “સ”ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી – શરણાપન થઈ “સ” પામી “સ”રૂપ હોય છે.”
| ગીતાકાર “જ્ઞાન વિજ્ઞાન સહિતમ પવિત્ર ઇદમુત્તમમ્” કહીને જે રાજગુહ્ય (અ) ૭ થી માંડીને અ૦ ૧૧ સુધીમાં જે “અધ્યાત્મ'સંન્નિત) નિરૂપે છે, તેનો જ સરળ અનુભવ-જન્ય ગુજરાતી પર્યાય શ્રીમદ્ આમ રજૂ કરે છે. અને એની પુનરુક્તિ અનેકવિધ રીતે આ કાળે લખાતા પત્રોમાં થયેલી જોવા મળે છે. કબીરજી જેને “ઘૂંઘટનો પટ’ કહે છે, તે આ જગત રૂપી ભ્રાંતિ-આવરણ જ છે: તે પટ આ કાળમાં શ્રીમદ્ભા અંતરમાંથી ઊંચકાતાં જે સાક્ષાત્ સમજાયું છે, તે જ આ મર્મસ્પર્શી વાક્યોમાં ઊતરેલું લાગ્યા વગર રહેતું નથી. જેમ કે,
થોડા જ દિવસ અગાઉ “મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ના પત્રમાં લખ્યું છે. (શ્રી,૧-૩૦૦):- .
“સત” જે કંઈ છે, તે “સ” જ છે; સરળ છે, સુગમ છે; " અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ જેને ભ્રાંતિરૂપ, આવ ખતમ વર્તે છે, તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય?.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org