________________
૧૮૨
જ્ઞાની ભકતની પ્રતિભા : રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અરૂપ ભ્રાંતિને. પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે સત્પરુષના શરણ જેવું એ ઔષધ નથી. આ નિશ્ચય વાત બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, હું અનુગ્રહ કરી એને તારી ગતિ આપ, એ ઉદ્ગાર નીકળે છે....” (શ્રી ૧૩૦૨) *
આ જ દિવસે માં લખાયેલી “ સત” એવે મથાળે એક : નેધ (શ્રી,૧ - ૩૮૩) મળે છે, તે પણ આ જ આત્મપ્રતીતિ રૂપે જગત અને “સત્’ વિષે નીચે પ્રમાણે નિરૂપણ આપે છે :
સત” આ જે કંઈ જોઈએ છીએ, જે કાંઈ જોઈ શકાય એવું છે, જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ સાંભળી શકાય તેવું છે, તે સર્વ એક સત્ જ છે.
જે કંઈ છે તે સત્ જ છે, અન્ય નહીં. તે સત્ એક જ પ્રકારનું હોવાને યોગ્ય છે.”
તે જ સત જગત-રૂપે બહુ પ્રકારનું થયું છે, પણ તેથી તે કંઈ સ્વરૂપથી રયુત થયું નથી; સ્વરૂપમાં જ તે એકાકી છતાં અને કાકી હોઈ શકવાને સમર્થ છે. એક સુવર્ણ, કુંડલ, કડાં, સાંકળાં અને બાજુબંધ આદિક અનેક પ્રકારે હોય, તેથી તેમાંથી કંઈ સુવર્ણપણું ઘટતું નથી. પર્યાયાન્તર ભાસે છે. અને તે તેની સત્તા છે. એમ આ સમસ્ત વિશ્વ તે “સત્'નું પર્યાયાંતર છે, પણ “સ”-રૂપ જ છે.”
આ સમયના શ્રીમદ્ભા પરાયવહારમાં આવી તેમની આત્મસ્થિતિ અને પરાભક્તિ માટેની અતીવ ઝંખના ટપકતી જોવા મળે છે. તેમાંથી એક બે ખાસ લાક્ષણિક લાગે એવા ઉતારા નીચે પ્રમાણે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org