________________
જીવ, જગત, અને તેનું અધિષ્ઠાન કવિશ્રી આમ જ્યારે ભક્તિ વિષે જાણે-સમજે-અને-લખે છે, ત્યારે એ ભૂલવું ન જોઈએ કે, ભક્તિભાવની તેમની દૃષ્ટિ, લોકોમાં કેટલીય સામાન્ય જોવા મળતી વેવલી રીતની નથી. તેની કાવ્યમય જીવનપદ્ધતિના બાહ્ય કલેવરને નહિ, પણ ભાગવત ધર્મનું તત્ત્વ પામીને – તેના સૂક્ષ્મ તથ્યને જોઈને, જ્ઞાનપૂત ભક્તિની સર્વ-સમર્પણતા તે કહે છે. “મુંબઈ, ફાગણ વદ ૧૪, બુધ, ૧૯૪૭”ને એક લેખ આ વિષેનો તેમનો (શ્રી,૧-૩૦૯) સંઘરાયેલ છે, તેમાં પરમાત્માની ભક્તિનું રહસ્ય શું છે તે બતાવતાં કહે છે:- ,
“હમમાને ત્રિતે
विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति
___ तत्र तत्र समाधयः॥ “હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી, – એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.”.
આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું હતું તે સંબંધમાં વધારે વાત તે સમાગમ થઈ શકે તેમ છે; અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તે પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું.
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી એ પરાભક્તિ છે.
૧૭૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org