________________
છવ, જગત, અને તેનું અધિષ્ઠાન પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ 'પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવ્ય જીવને
એ લય આવવી વિકટ છે; એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવા દેહધારી પરમાત્માને તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં એજ્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐકયભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તે પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ – જ્ઞાની-રૂપ પરમાત્માની – ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે, એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં, ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે. અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ટિ મંત્રમાં “નમો અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે, પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” - શ્રીમદની અધ્યાત્મ-સાધનાના અભ્યાસીઓએ તેમની આ વાત ખાસ નેધવી જોઈએ. આ પ્રકારની ભક્તિભાવના સિદ્ગુરુ અને
૧. સરખાઃ ગીતા, અ૦૧૨-૫, ૬ ...અવ્યl fહ જતિઃ દુઃa હરિ અવાથતે......
૨. સરખાવઃ ગીતા અ૦૭-૧૭, ૧૮ જ્ઞાન વામૈવ મે મતન્.... બાળ-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org