________________
જૈન પ્રતિમાપૂજા અને ઈશ્વર-ગુરુભાવ ૧૭૫ ન્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે પુરુષના શરણ જેવું એક્ટ ઔષધ નથી.......” (શ્રી.૧-૩૦૨)
અને પુરુષનો મહિમા ગાતાં, આથી કરીને, કવિની કલમ આ કાળે થાકતી જ દેખાતી નથી. ઉપરના પત્ર અગાઉ થોડા જ દિવસ પર (મુંબઈ, ફાગણ સુદ ૪, શનિ, ૧૯૪૭) – “પુરાણ પુરુષને નમોનમ:” (શ્રી ૧-૩૦૧-૨) – એ મથાળે લખેલો પત્ર છે, તેમાં કહે છે:
“ હે પુરુષ પુરાણ! અમે તારામાં અને સપુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે, તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. ... હે નાથ, તારે ખોટું ન લગાડવું કે, અમે તારા કરતાં પણ પુરુષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને. સ્તવે છે, તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને કયાં સ્તવનની આકાંક્ષા છે; અને ક્યાં તને ન્યૂનપણું છે?...”
આ ભાવથી કવિએ નિગ્રંથ એવા મહાવીર સ્વામી રૂપે ભગવાનને અંતરમાં આરાધ્યા હતા; એમ છતાં શ્રીકૃષ્ણ રૂપે પણ પોતાના હૃદયદેશમાં પ્રભુને તે ભજતા હતા: કવિની ભક્તિને આ પ્રકારનો યોગ તેમના જ્ઞાનયજ્ઞની સાથે લક્ષમાં લેવો જોઈએ. એ જ એમની સાધનાની અનુંભવપૂત વિશેષતા જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org