________________
જૈન પ્રતિમાપૂજા અને ઈશ્વર-ગુરુ-ભાવ ૧૭૩ - “જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે; જીવ રૂપે અનેક છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપિ તે અધૂરો રાખ્યો છે. કારણ, લખતાં કોઈ તેવા શબ્દો જડ્યા નથી. પણ આપ સમજી શકશો, એમ મને નિઃશંકતા છે.
“તીર્થકર દેવને માટે સખત શબ્દો લખાયા છે, માટે તેને નમસ્કાર.”
આ પ્રકારની ભક્તિમાં ભયસ્થાન મોટું છે અને તે એ કે, અવ્યક્તરૂપ હરિને વ્યક્ત માનીને મોહમાં પડાય. તત્ત્વત: જોતાં, એ જ સૂક્ષ્મ કારણે જે કોઈ મૂર્તિપૂજાનો વિરોધ થયો છે, તે સંભવે છે. અને તેથી કરીને, જેમ કે, ગીતા કહે છે –..
- “અલ્ય મિર્નમ્
' મન્યને મામ્ યુદ્ધયઃ || જડ અને ચેતનનો સંજોગ આ જગતના મનુષ્ય સંસારરૂપે જોઈએ છીએ, તે જ મૂળ કોયડો છે. એ સંજોગને જ ગીતાકારે. ઈશ્વરી યોગમાયા ઇ૦ શબ્દોથી વર્ણવ્યો છે. આ સંજોગ મનુષ્ય પોતાના સત્ય સ્વરૂપને પામીને જ આત્મદૃષ્ટિથી સમજવાનું છે; તેથી એ સંજોગ જ “બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત” – જેવીવિચિત્રતા છે. તે અંગેના પણ કવિએ લખેલા દોહરા (પ્રભુભક્તિના દોહરા ઉપર જોયા તે જ દિવસે તે જ રાળજ સ્થળે લખાયેલા) મળે છે, તેમાં “આ અચરજની વાત” (શ્રી.૧-૩૨ ૩-૪) લખી છે:
“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છડી આપ સ્વભાવ.
જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; . . પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ? : , . જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય;
બંધ મોક્ષ તો ઘટે નહીં, નિવૃત્તિના પ્રવૃત્તિ ન હોય, ' ',
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org