________________
વેદમત-સમાગમ
કવિની હાથને જે મળી છે, તેમાં તેમના આ સમયના આત્મમંથનનું કાંઈક નિરૂપણ મળી શકે. પરંતુ તે નોંધોની ચેકસ મિતિ વગેરે નોંધાયેલાં મળતાં નથી. તેમનાં લખાણોના સંગ્રહમાં “આત્યંતર-પરિણામઅવલોકન” એવા વિભાગીય મથાળે તે હાથનેધ (“વર્ષ ૨૨ થી ૩૪ પર્યત”ની બતાવીને) આપી છે. તેમાંથી નીચેનું જુઓ:
.... આત્માના ધ્યાનને મુખ્ય પ્રકાર કયો કહી શકાય? તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે? આત્માનું સ્વરૂપ શા પ્રકારે? કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાન્ત પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે?” (શ્રી.૧-૯૨૮)
વળી એક નોંધ છે તેમાં બંધના સ્વરૂપ વિષે મનન કર્યું છે:“.... મૂર્તામૂર્ત બંધ આજ થતો નથી તે અનાદિથી કેમ થઈ શકે? વસ્તુ-સ્વભાવ એમ અન્યથા કેમ માની શકાય?
“ક્રોધાદિ ભાવ જીવમાં પરિણામીપણે છે, વિવર્તપણે છે?
પરિણામીપણે જો કહીએ તે સ્વાભાવિક ધર્મ થામ; સ્વાભાવિક ધર્મનું ટળવાપણું કયાંય અનુભૂત થતું નથી.
“વિવર્તપણે જો ગણીએ તો સાક્ષનું બંધ જે પ્રકારે જિન કહે છે, તે પ્રમાણે માનતાં વિરોધ આવવો સંભવે છે.” (શ્રી.૧-૯૨૯)
આ વિરોધ, આ પ્રકારે બંધનું સ્વરૂપ જેને કર્મવાદ અનુસાર અને વેદાન્તના અદ્વૈતવાદ મુજબ વિચારતાં, આવે છે. તત્ત્વજ્ઞાન અંગે આ પ્રકારનો દૃષ્ટિભેદ, જૈન અને વેદાન્ત દર્શનેમાંથી જોઈ શકાય અને એનું નિરસન થવું જોઈએ, એ કવિના આ કાળના મંથનને મુદ્દો છે. આ મુદ્દા વિષે પ્રશ્નાર્થક નિરૂપણ કરતી આવી વધુ નોંધ પણ છે, જેનું જૈન પરિભાષામાં બયાન કરાયું છે. તે પરથી જે મુખ્ય ચિતનને મદો ઊઠે છે, તે મુદો તે પછી આવતી નોંધમાં ફરીથી ઉલ્લેખાયેલો આમ મળે છે:- “જિનને અભિમત કેવળદર્શન અને વેદાન્તને અભિમત બ્રહ્મ, એમાં ભેદ શું છે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org