________________
૧૫૦
જ્ઞાની ભક્તની પ્રતિભા : “.... ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તે બંધ કર્યો હતે, માટે મુખ્યત્વે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ કોષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા યોગ્ય છે. માટે સંપૂર્ણજ્ઞાની તે ઈકવર છે, અને તેનાથી બોધાકૅલાં શાસ્ત્રો તે ઈશ્વરી શાસ્ત્ર છે, એમ માનવામાં અડચણ નથી.”
ઉપરાંત તેમની ઉપદેશ-નોંધ રૂપે સંઘરાયેલ વસ્તુમાં એક નોંધ (મોરબી, વૈ૦ સુદ ૮, ૧૯૫૬) મળે છે કે, '
“ભગવદ્ગીતામાં પૂર્વાપર વિરોધ છે, તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવાં વચન, તે વીતરાગનાં છે.
ભગવદ્ગીતા પર ઘણાં ભાષ્ય, ટીકા રચાયાં છે....... દરેક પિોતપોતાની માનીતા ઉપર ઊતરી ગયા છે....
આ ઉપરાંત કવિએ ભાગવત, નારદ ભક્તિસૂત્ર, ઇ૦ ભક્તિગ્રંથ વિશે પણ લખેલું મળે છે. તે વિષે નેધપાત્ર એ છે કે, અમુક પોતાની રીતે કવિ ઈશ્વર અને તેની ભક્તિ સમજતા હતા. આ વસ્તુ જુદા પ્રકરણમાં હવે પછી જોવાના હોઈને, અહીં તેનો ઉલ્લેખમાત્ર કર્યો છે.
તે પછી કવિને વેદાન્ત-સમાગમ જોવો ઘટે છે. ભક્તિની પેઠે વેદાન્ત વિષે પણ તેમણે, પોતાની ભક્તિ અને વેદનાની મસ્તીની અનુભૂતિ વર્ણવતી નધિમાં સારી પેઠે વાત કરી છે. તે પણ અલગ પ્રકરણમાં હવે પછી જોઈશું. - અહીં આપણે તેમનાં તત્ત્વાવબોધ-મંથનકાળનું વિશેષે જોઈએ છીએ, તેમાં “જેને વિ૦ વેદાન્ત મત” વિષેનું તેમણે કરેલું જે ચિંતન મળે છે, તે તરફ નજર કરવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org