________________
જૈનમત વિ૦ વેદમત
૧૪૧. એમનું નિમિત્ત શું છે? .... જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી. હતી? રચ્યું તો સુખદુ:ખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂક્યું? એ લીલા બતાવવી કોને હતી? રચ્યું તે કયાં કર્મથી રચ્યું? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહતી? ઈશ્વર કોણ? જગતના પદાર્થ કોણ? અને ઇચ્છા કોણ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય શી હતી? કદાપિ એ બધું માને કે, એ બિચારાથી ભૂલ થઈ! હશે! ક્ષમા કરીએ. પણ એવું દોઢ-ડહાપણ કયાંથી સૂઝયું કે, એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી? પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શી અવશ્ય હતી? એક તે જાણે એ વિચાર; અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે, જૈનદર્શનપ્રવર્તકોને એનાથી કાંઈ દ્વપ હતે? એ જગકર્તા હોત તે એમ કહેવાથી એઓના લાભને કાંઈ હાનિ પહોંચતી હતી? જગત્કર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કાંઈ મહત્તા મળી જતી હતી? – આવા અનેક વિચાર આવતાં જણાઈ આવશે કે, જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયોજન નહોતું. ”
આ દલીલના ઉત્તર અનેક સ્થળેથી વેદમતવાદી ગ્રંથકારો આપે છે. તેઓને પણ એમ કરવાથી શો લાભહાનિ કે રાગદ્વેષ હતાં, એમ પૂછી શકાય. એથી ભિન્ન ભાવ કહેવા એમને પણ લેશમાત્ર પ્રયોજન નહોતું, એમ પણ કેમ ન કહેવું પડે કે માનવું જોઈએ? કહેવાની મતલબ કે, આ વિશે અહીં આપણે માટે તેની દલીલબાજી પ્રસ્તુત નથી. પરંતુ કઈ તર્કપદ્ધતિથી અત્યારે કવિનું મન ચાલતું, તે જાણીએ. અને એમાંથી એટલું સાફ છે કે, તેમની શ્રદ્ધાભક્તિ જૈનદર્શન પર. વિશેષ વળી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org