________________
૧૪૦
જ્ઞાની ભક્તની પ્રતિભા જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચારસંકલનાથી ભરેલું દર્શન છે, કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ......... જગતના સઘળા ધર્મમાં એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્વને પામેલા પણ નથી....... જૈનની તુલ્ય એક્ટ્ર દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા.” (પાઠ - ૯૫ માંથી)
... છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે, કેવળ શુદ્ધ પરમતત્ત્વને પામેલા, સકળ દૂષણ-રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી, એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને ... કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? યદિ હું જાણું છું કે, એ કહેનારા એનાં તત્ત્વને જાણતા નહોતા. ....” (પાઠ ૯૬માંથી) - સંપ્રદાયદૃષ્ટિ અને ઇષ્ટદેવ કે સ ગ ભાવથી દરેક પંથ આ પ્રકારે પોતાના પ્રિય દર્શન-કે-તત્ત્વ-વાદને માટે કહે, એ આપણે જાણીએ છીએ. કવિ સાવ એવી તકરારી અહમદમિકામાં નથી કહેતા, એ તો સ્પષ્ટ છે. તેમને અન્ય ધર્મમતોની તુલનામાં જૈન દર્શનમાં વિચારસંકલનાની બુદ્ધિયુક્તતા ખાસ ગમી, એ કારણ છે. અને એવી યુક્તિ
જ્યાં તે નથી જોતા, ત્યાં તેમની તર્કબુદ્ધિ વાધે માનીને, તે ધર્મતત્ત્વ કે મતદૃષ્ટિને વિશે ટીકા જુએ છે. ( શિક્ષાપાઠ ૯૭ (શ્રી ૧- ૧૧૪)માં બીજી રીતે એવી દલીલ કરી
પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈન દર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રિક જનોને શીધ ચોંટી રહે છે. ... પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે, જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે, તે કયા ન્યાયથી કહે છે? જગત્કર્તા નથી એમ કહેવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org