________________
- ૨૩
જેનમત વિ. વેદમત “રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતો. વેદાત પ્રત્યે પક્ષપાત પણ હતા. વેદાન્તીને તો કવિ વેદાન્તી જ જણાય. ... (તે) ઘણું વાર કહેતા કે, જુદા જુદા ધર્મ એ તે વાડા છે. તેમાં મનુષ્ય પુરાઈ જાય છે. જેણે મોક્ષ મેળવવો એ જ પુરુષાર્થ મા છે, તેને કોઈ ધર્મનું તિલક પિતાને કપાળે લગાડવાની આવશ્યક્તા નથી. “સુતર આવે. ત્યમ તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે.”—એ જેમ અખાનું તેમ રાયચંદભાઈનું પણ સૂત્ર હતું.”
- ગાંધીજી કવિશ્રીના તત્ત્વદર્શનની ચર્ચામાં ધ્યાનપાત્ર એ છે કે, તે લૂખી શાસ્ત્ર-આગમની પંડિતાઈ નથી; તસ્વાવબોધને પરિણામે નિષ્ઠા-ભક્તિનું અધ્યાત્મ-રસાયણ “જિનેશ્વરની ભક્તિ” રૂપે પેદા થાય છે. ધર્મમતનું તાવિક અનુશીલન એવું જીવન-લક્ષી છે કે, તેમાંથી પ્રપત્તિભાવ કે ભક્તિને ઉદય થાય છે. અને આ ભક્તિ કોઈ મૂર્ત રૂપની હોય, એ કાંઈ મેક્ષમાગીને માટે ખાસ પ્રસ્તુત બીના નથી. “જેમ તેમ કરીને હરિને લહે” – એ જ એનું સૂક્ષ્મ રહસ્ય હોય છે. આ પછી આગળ તેમના “તત્ત્વાવબોધ' વિશે તેમણે જે નિવેદન “મોક્ષમાળા” (પાઠ ૮રથી ૯૮)માં ઉતાર્યું છે, તે જોઈએ.
આ પ્રકરણની તે પાઠોમાં કવિ, કાંઈક શાસ્ત્રાર્થની ખંડન-મંડન-- રીતિથી, “જૈનમત વિ૦ વેદ-મત’ વિષે ચર્ચા કરે છે. અને તેમાં એક જે મુખ્ય મુદ્દો તેમણે સ્પર્શે છે તે એ કે, જૈન દર્શન જગકર્તા કે. ઈશ્વરને માનતું નથી, – એવો આક્ષેપ વેદમતવાળા તેની સામે કરે છે. આ ચર્ચાની વિગતમાં ઊતરવાની અહીં જરૂર નથી. પરંતુ કવિની આ કાળની વલણ વૃત્તિ સમજવા પૂરતી પ્રસ્તુતતા માનીએ. કવિ કહે છે:
૧૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org