________________
જ્ઞાની ભક્તની પ્રતિભા આ પરથી એમ પણ લાગે છે કે, કવિએ જૈનધર્મની સુધારણા મનોરથ જીવનમાં આ સમયથી સેવ્યો હતો, અને તેના ઉદયનો સમય આ હશે. સુધારણા તો કયો ધર્મ નથી માગતો? અને જો એ દૃષ્ટિથી તે ધર્મના અનુયાયીઓ તેમ કરે, તો પરિશુદ્ધ સ્વરૂપે કયો ધર્મ તેના અનુયાયીનો ઉદ્ધાર નહિ કરે? અને એમ થતાંથી સાથે માનવ હૃદયમાં નિહિત એવું આત્મ-સત્ય જે હશે તે પ્રગટશે જ. અને એમ થવું એ તે સ્વ-સંવેદ્ય અને પ્રત્યક્ષાવગમ્ય છે – આત્માએ આત્મા વડે આત્મામાં જ પામવાની વાત છે; – એમ તેના અનુભવી પુરુષોએ કહ્યું છે. પોતાને ઈષ્ટ સ્વરૂપમાં અનન્ય નિષ્ઠાભક્તિ જોઈએ, તો તેમાંથી જ ઉપરના જેવા તત્ત્વ-પ્રશ્નોને અંગેનો બુદ્ધિયોગ અંતર્યામી અધિદેવ પ્રભુ આપોઆપ આપે છે, (અ) ૧૦-૮થી૧૧) એમ ગીતાકાર આ કારણે કહે છે: “... દદામિ બુદ્ધિયોગ નાશયામિ આત્મભાવસ્થ: જ્ઞાનદીપેન ભાસ્વતા.”
અને આ પ્રકારની સમાહિતતા કવિશ્રી તેમની આત્મસિદ્ધિને પામે છે ત્યારે પ્રાપ્ત કરે છે, એમ તેમનાં પછીનાં લખાણો બતાવે છે.
છતાં, આ કાળે એમ જોવા મળે છે કે, કવિએ જૈનધર્મની સુધારણાને મરથ કયા તેમના ચિતન મનનને પરિણામે કર્યો હશે; અને તે વિષે “મોક્ષમાળા'માં પણ (પાઠ ૯૯) તે ભાવનો ઉલ્લેખ મળે છે. શિક્ષાપાઠ ૧૦૬માં “વિવિધ પ્રશ્નો”માં “વેદ અને જૈન દર્શનને પ્રતિપ્રક્ષતા ખરી કે?” – એમ સીધે સવાલ પ્રશ્નોત્તરી રૂપે ટૂંકમાં ચર્ચતાં કહ્યું છે:
“પ્રહ – એ બેમાં સત્યરૂપ તમે કોને કહો છો? ઉ૦ – પવિત્ર જૈન દર્શનને. પ્રવ- વેદ દર્શની વેદને કહે છે તેનું કેમ?
ઉ૦ - એ તે મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બંનેનાં મૂળતત્વો આપ જોઈ જજો. . .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org