SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાભ્યાસ પ્રથમથી જ રાયચંદભાઈ પ્રતિભાશાળી બાળક હતા. સાત વર્ષે એમણે શાળામાં અભ્યાસ શરૂ કર્યો. ૧૧મા વર્ષ સુધી તે ચાલ્યા. અમૃતિ તેમની એટલી બધી તીવ્ર હતી કે, એક વાર પાઠ સાંભળ્યું કે તે યાદ રહી જ. પિતે તે વિષે જણાવે છે: અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યો હતો કે, જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ શરૂ કર્યો હતો તેને જ, ગુજરાતી કેળવણી'. ઠીક પામીને, તે જ ચોપડીને પાછો મેં બોધ કર્યો હતો !” 'આ તેમની શક્તિની તેમને પોતાને પણ પારખ હતી. દરેક મનદુરસ્ત બાળકને હોવું ઘટે એમ, એમને પોતાની શક્તિ અજમાવવાની તથા તેને ખીલવવાની પૂરી મહત્ત્વાકાંક્ષા હતી. તે પોતાના આત્મવૃત્તાન્તમાં કહે છે, “રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી.” એને લીધે એમણે આ તેમની સ્મૃતિશક્તિને સારી રીતે કરી અને કેળવી એમ કહેવાય. આ તેમની શક્તિનાં તે પ્રદર્શન પણ કરતા, એટલી નાની વયે પણ એમ ન કરવાનું એમનામાં શરમાળપણું નહતું. કેટલાય લોકો એમની પાસે આ શક્તિનું પારખું જોવા આવતા અને તે તેમને બતાવતા; અને સાથે સાથે તેમનામાં પ્રથમથી જ હતી તે ધર્મજિજ્ઞાસાને પણ કાંઈક પરિચય વાર્તાલાપ દ્વારા આપતા. સામાન્ય સમાજમાં શક્તિના આવા ચમત્કારની ધાર્મિક અસર ઊપજે છે, એ આપણે જાણીએ છીએ. કવિશ્રીની અવધાનશક્તિની આવી ચમત્કારી અસર થઈ હશે, એમાં નવાઈ નથી. અહીં એટલું કહેવાનું પ્રયોજન છે કે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy