________________
માતા-પિતા વૈષ્ણવના પ્રિય હતા; અને જગત્કર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહિ. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું.”
આમ છતાં, જેન અને વૈષ્ણવ ધર્મની જીવન-પ્રણાલીમાં જે સૂક્ષ્મ એક ભેદ છે, તે તેમની બાળવયના આ કાળે પણ ધ્યાનમાં આવ્યો હશે એમ કહેવાય : એવી જાગ્રત વિવેકબુદ્ધિ ભરેલી વિચક્ષણતા તેમનામાં નાનપણથી રહેલી જોવા મળે છે. તે લખે છે:
જ્યાં સ્ત્રીઓ ભોગવવાને ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હય, રંગરાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય, ત્યાંથી આપણા આત્માની સત્ શાંતિ નથી. કારણ, એ ધર્મ-મત ગણીએ, તે આ સંસાર. ધર્મમત-યુક્ત જ છે; પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે ...તે પછી અધર્મસ્થાનક કયું? (કોઈ) એમ કહે કે, પેલાં ધર્મમંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે, તો તેને મારે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાને છે કે, તે પરમાત્મ-તત્ત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિ જાણતા નથી.”
વાત્સલ્ય સાથે વૈરાગ્ય અને પરમાત્મ-તત્ત્વની ભક્તિ – આ પ્રકારની સંયુતિ શ્રીમના જીવનમાં હતી. આ તેમનું કથન તેમના ૧૩ વર્ષના આયુ સુધીનું છે. આવા પ્રચુર ધર્મવારસાની સાથે એમણે પોતાનું જીવન શરૂ કર્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org