________________
૧૩૬
જ્ઞાની ભકતની પ્રતિભા | (ઉપરના ઉતારામાંના છેલ્લા “વેદે પ્રવર્તક ભિન્ન ...'થી શરૂ • થતા અંત સુધીના વાક્યનું પાઠાંતર મળે છે – “વર્તમાનમાં જે વેદો
છે તે ઘણા પ્રાચીન ગ્રંથો છે, તેથી તે મતનું પ્રાચીનપણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હોવાથી અપૂર્ણ છે, તેમ જ સરાગીનાં વાક્ય છે, એમ સ્પષ્ટ જણાય છે.”)
* વેદના મતે અંગે વિચારવા માટે મુખ્યત્વે પદર્શનના ભેદ જવા દઈએ; ઉપનિષદ અને ગીતા વિષે જોવું જોઈએ. કવિએ આ ગ્રંથો નહિ જ જોયા હોય એવું નથી લાગતું.* પરંતુ એ બધામાં એમને જે દોષ લાગ્યો હશે, તે એ પ્રકારના હોય છે, તે બધાં એક રોકડી સાફ સાફ સાર-વાત કરતાં નથી, - “બેધડકતાથી વાત” કરતાં નથી; છતાં તે વાંચતાં વાતની ગંભીરતા અને વિનિશ્ચિતિ પણ કદાચ એટલી ભારે લાગે કે, તેને કવિ કદાચ “ગંભીર ડોળ’ કહેતા હોય.
બેધડક સીધું કહેવા વિષે વેદ-મતની મુશ્કેલી કવિ એમ નોંધતા લાગે છે કે, તે પ્રાચીન હોવાથી, તેમાં અનેક નાનાવિધ મતે, ઇતિહાસકાળ દરમિયાન, સંઘરાતા રહ્યા. છેવત્તે અંશે, દરેક ધર્મ જેમ જૂનો થાય, તેમ આમ બને છે – તેમાંથી પેટા-પંથો તથા ફાંટા-ફિરકા વગેરે થતાં જ જાય છે; અને એ વિશેનું સાહિત્ય તથા તેના સમર્થ સાધકોની વાણી વગેરેને ઉમેરો થતો રહે છે. તેથી કરીને, સહેજે તે તે ધર્મના મૂળ તત્ત્વનો મર્મ તેમાં ઢંકાય – ભાત ભાતના વિકલ્પોમાં અટવાય. આ પ્રકારની ઘટના તે તે મૂળ તત્ત્વની અસત્યતા અથવા અપ્રમાણત્વ સિદ્ધ ન કરી શકે; તેને પકડવાની મુશ્કેલી પેદા કરે એટલું ખરું, ત્યારે તે તો ધર્મવસ્તુની શોધની જ મૂળ મુશ્કેલી ન કહેવાય? તેનું સંપૂર્ણ
તેમના ગ્રંથસંગ્રહમાં આવતા ગ્રંથોનાં નામની સૂચિ પરિશિષ્ટમાં છે, તે જોતાં, તેમાં ઉપનિષદ ગ્રંથ નથી મળતા; પરંતુ ગીતા, ગશાસ્ત્ર, મનુસ્મૃતિ ભાગવત, દાસબેધ, નારદભક્તિસૂત્ર, વૈરાગ્ય-શતક, શિક્ષાપત્ર, ષદર્શનસમુચ્ચય ઇનાં નામે મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org