________________
જિનેશ્વરની ભકિત
૧૫ સિદ્ધ થઈ શકતો નથી. કેટલાક જ્ઞાનથી મોક્ષ છે એમ કહે છે, તે એકાંતિક છે; તેમ જ ક્રિયાથી મોક્ષ છે, એમ કહેનારા પણ એકાંતિક છે. જ્ઞાન, ક્રિયા એ બનેથી મોક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બંનેના ભેદ શ્રેણિબંધ નથી કહી શકયા, એ જ એમની સર્વજ્ઞતાની ખામી જણાઈ આવે છે. ....”
કવિને આગ્રહ સર્વ પ્રકારનાં (તેમાં તે અષ્ટાદશ ગણાવે છે) દૂષણથી રહિત એવા પરમ વીતરાગપણના નિગ્રંથ-ગુણ કર છે; અને તે વિના મેલ સંભવે નહીં, એવી નિષ્પ છે ધરાવે છે. તે (શ્રી ૧'૮૫) આ વિશે કહે છે:
કોઈએ (ધર્મમત-સ્થાપક) એમાં સર્વવ્યાપક મેક્ષ, કોઈએ કંઈ નહીં એ રૂપ મેક્ષ, કોઈએ સાકાર મોક્ષ, અને કોઈએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મોક્ષ માન્યો છે, પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. એના અપૂર્ણ વિચારોનું ખંડન યથાર્થ જોવા જેવું છે અને તે નિગ્રંથ આચાર્યોનાં ગૂંથેલાં શાસ્ત્રોમાંથી મળી શકશે.” (આ છેલ્લા વાકયનું પાઠાંતર એવું મળે છે કે, “એના વિચારોનું અપૂર્ણપણે નિ:સ્પૃહ તત્વવેત્તાઓએ દર્શાવ્યું છે, તે યથાસ્થિત જાણવું યોગ્ય છે.')
મોક્ષ વિષેની કલ્પના નિરનિરાળા ધર્મોમાંથી મળે છે એમ તારવીને ઉપર કહ્યું, તે કયા ધર્મપંથોની હશે, તે એક મજાનો વિષય ગણાય. કવિ અમુક પિતાના અભ્યાસના ધર્મો અંગે સારાંશ, નામ દીધા વિના, કહે છે, – એમ જણાય છે. આમ કહીને વેદધર્મો અંગે પછી જુદું તે લખે છે, તે જુઓ:
“વેદ સિવાયના બીજા મતોના પ્રવર્તક, એમનાં ચરિત્રો, વિચારો ઇત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે, એમ જણાઈ આવે છે. વેદે પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી, બેધડકતાથી વાત મર્મમાં નાંખી ગંભીર ડોળ : 'પણ કર્યો છે. છતાં એમના પુષ્કળ મતે વાંચવાથી એ પણ અપૂર્ણ
અને એકાંતિક જણાઈ આવશે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org