________________
૧૩૪
જ્ઞાની ભકતની પ્રતિભા લોકો પોતપોતાની શ્રદ્ધા-ભક્તિ અને રુચિ-શુચિને આધારે આતે પંથ સંપ્રદાય કે માર્ગ પસંદ કરે; તે તેને માટે મુબારક બની શકે, - જો લોભ કે કીર્તિ અથવા દંભ કે પાખંડબુદ્ધિથી તેને ન અનુસરે તે. અને એમ સ્વાનુભૂતિથી તે ધર્મમાર્ગે પ્રગતિ કરી શકે, કેમ કે પરમ ધર્મનું તત્ત્વ અંતરમાં બિરાજતું એક અનન્ય અને પ્રત્યક્ષાવગમ્ય જ છે, એમ માનીને, પ્રામાણિકપણે અને તેવી નિષ્ઠાપૂર્વક તેની સાધનામાં લાગવું જોઈએ. એથી કરીને, મુર્ત ઐતિહાસિક સ્વરૂપના ધર્મો તથા ધર્મપ્રવર્તકો પ્રત્યે કેવળ સત્યતાને એકાંતિક મતાગ્રહવાદા તર્કશુદ્ધ નથી લાગત; પરંતુ પિતપોતાનાં રુચિ-શુચિ તેમ જ સ્વભાવપ્રકૃતિ-અને-શ્રદ્ધાદિ મુજબ કોઈ એકને સ્વીકારી સાધક ચાલે; અને ભલે તેમ થાઓ. એવી સત્યનિષ્ઠા ભરેલો સાધનાને ઉદ્યમ તેને સત્ય પંથ પર સીધો આગળ લઈ જશે, અને ત્યારે તેને સ્વીકૃત મર્યાદાપંથ પણ તેનું સૂક્ષ્મ ધર્માત્મતત્ત્વ તેના આંતર અનુભવમાં પ્રગટ કરશે. અને ત્યારે પેલી પ્રારંભિક એકાંતિક આગ્રહબુદ્ધિ પરિશુદ્ધ થતી થતી લય પામશે; અને તેને સ્થાને એક ઉદારધર્મી પરમ ધર્મ-દર્શનને ઉદય થશે.– આ પ્રકાર સાધક મહાત્માઓનાં જીવન બતાવે છે.
એટલે, કવિ તેમના શાસ્ત્રાધ્યયનના પ્રારંભે જે તર્ક પદ્ધતિથી ચાલે છે, તે આગળ પર પરિશુદ્ધ થઈ ઉદાર અને પરમ તત્ત્વદર્શી બને છે. પરંતુ “મોક્ષમાળા’ લખવાને સમયે તે દર્શનો પ્રત્યેની શરૂની શાસ્ત્રાર્થબુદ્ધિથી (શિક્ષાપાઠ ૬૦માં) ધર્મના મતભેદ ચર્ચતાં તેમને કસી જોઈ નિર્ણય પર પહોંચવાની કસટી રૂપે કહે છે કે,
“જો એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય, તે બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં તે માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે, તેનાં તત્ત્વપ્રમાણથી બીજા મતની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ.
એ બીજા ધર્મમતિમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથા સૂક્ષ્મ વિચારો નથી. કેટલાક જગકર્તાને બોધ કરે છે, પણ જગત્કર્તા પ્રમાણ વડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org