________________
૧૩૩
“જિનેશ્વરની ભકિત” ઉપર મુજબ કહીને, તે વિષે આગળ લખતાં કવિ કહે છે: –
“કીર્તિ, લોકહિત, કે ભગવાન મનાવાની આકાંક્ષા એમાંની એકાદી પણ એમની મનની ભ્રમણા હોવાથી અન્યૂઝ ઉદ્યમાદિકથી તેઓ
જ્ય પામ્યા. કેટલાકે શૃંગાર અને લહેરી (પાઠાંતર-લોકેચ્છિત ') સાધનોથી મનુષ્યનાં મન હરણ કર્યાં. .... આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચાર પાંચ પેઢી એકનો એક ધર્મ પાળ્યો એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું.”
ધર્મસંપ્રદાયના ઉદય તથા વિકાસના ઇતિહાસને અંગેની આ દૃષ્ટિ એક અભિપ્રાય રૂપે મજેદાર છે. ગુરુ-ગ્રંથ-પેગંબર-અવતાર-૮૦ના પાયા પરના ધર્મવાદો વિષે એકાંતિકતા પેસી જઈને, તેઓ સમાજમાં લોકોના “કુલધર્મ” થઈ બેસે છે, એ વાત સાચી. પરંતુ, ગીતા સત્યને અંગે જે નય સિદ્ધાંત આપે છે –
“નાસતા વિદ્યતે ભાવ: નાભાવો વિદ્યતે સત: |
ઉભયોરપિ દૃષ્ટોત્તે: ત્વનો: તત્ત્વદશભિઃ | (અ) ૨-૧૬) – તે સત્યધર્મ અંગે લાગુ પાડીને કહીએ ત - “જે ધર્મ છે તે જ છે અને જે નથી તે નથી’– એવો તર્ક બાંધીને પરિપૂર્ણ સત્ય ધર્મ કલ્પીને કહી શકાય. અને કવિ તેમની તર્કપદ્ધતિથી ધર્મમતોનું પરીક્ષણ કરતાં ઉપર તેમ કહે છે. પરંતુ એવો ધર્મ અંતરમાં જોવો જાણો રહ્યો; વ્યવહારમાં વર્તત કોઈ અમુક તમુક તેવો ન હોય. સંપૂર્ણ સત્ય ધર્મ કે ધર્મપદાર્થને તત્ત્વાત્મા એ પણ આ વિશ્વના પદાર્થોમાં સત્ય એવા આત્મા કે બ્રહ્મ કે કેવળજ્ઞાન જેવો સૂક્ષ્મ પદાર્થ જ હોય. અને જેમ દરેકમાં આત્મા કે અંતર્યામી પ્રભુ છે, તેમ જ ધર્મોમાં તેમના આત્મા રૂપે પરમ અવ્યક્ત એ સત્યધર્મ છે, એમ કહેવું, એ જ, બહુ બહુ તે, પ્રમાણસર મનાય; પરંતુ ઇતિહાસમાં વિદ્યમાન કોઈ પણ એક વ્યક્ત કે મૂર્ત ધર્મને તે કહેવામાં દોષ આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org