________________
૧૨૮
જ્ઞાની ભકતની પ્રતિભા " બૌદ્ધ અને જૈન ધર્મોને વિશાળ હિન્દુ વેદધર્મના વટવૃક્ષની મહા વડવાઈઓ ગણીએ, તે કવિના શાસ્ત્રાભ્યાસ વિષે કહી શકાય કે, તે સમગ્ર હિંદુધર્મગ્રંથોનો અભ્યાસ હતો,–જેમાં જૈન અંગ-ગ્રંથોનો વિશેષ અને ખાસ હતો. અને આમ તેમનાં આ કાળનાં સંઘરાયેલાં લખાણો જોતાં જાણવા મળે છે. આ કાળ એટલે, કહો કે, મુખ્યત્વે ૨૦થી ૨૫માં વર્ષ સુધીનો સમય; – જેનો ઊગમ ૧૭મા વર્ષે લખેલી “મોક્ષમાળા’થી સંઘરાયેલો છે. એ ગ્રંથ કવિના મૌલિક શાસ્ત્રાભ્યાસ તથા તવાવબોધનું મૂળ ગણી ત્યાંથી (એમની જીવન-સાધના સમજવામાં) આગળ ચાલી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org