________________
“જિનેશ્વરની ભક્તિ सत्त्वानुरूपा सर्वस्य
श्रद्धा भवति भारत । श्रद्धामयोऽयं पुरुषः યો ય-શ્રદ્ધઃ સ gવ સઃ ||
(ગીતા અ૦ ૧૭-૩) કવિનાં ચિંતન-મનન તથા શાસ્ત્રાદિના અધ્યયનમાં આમ થયેલા વિકાસનો અભ્યાસ એક રસિક વસ્તુ ગણાય. તે કરવામાં, ૧૭મા વર્ષે (એટલે કે, આવા વિકાસના પ્રારંભ-કાળે જ કહીએ તો ચાલે.) લખેલો.
મોક્ષમાળા” ગ્રંથ ઉત્તમ મદદ કરી શકે; એમના તત્ત્વાવબોધનના વિકાસની પૂર્વભૂમિકા કઈ હતી, - કેવી સમજબુદ્ધિથી તેની શરૂઆત થઈ, – તેનું શબ્દબદ્ધ ચિત્ર કવિના ૧૭મા વર્ષમાં લખાયેલ આ ગ્રંથ આપે છે, એમ માની શકાય. તેમાંથી એમની જે શ્રદ્ધા બંધાઈ તે, જેમ કે, તેના બે શિક્ષાપાઠ (૧૩, ૧૪) “જિનેશ્વરની ભક્તિ” અંગે છે (શ્રી.૧-૪૬ ), એમ માનીએ. તેનો પ્રારંભ જ આ રીતે છે: - “જિજ્ઞાસુ - વિચક્ષણ સત્ય! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગંબરની, અને કોઈ ઈશુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એઓ ભક્તિ કરીને શી આશા રાખતા હશે?
સત્ય – પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવોને ભજે છે.
૧૨૯ જ્ઞા૦-૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org