________________
-૧૨૬
જ્ઞાની ભક્તની પ્રતિભા પ્રસંગને લઈને ગ્રંથસૂચના રૂપે મળતાં, સહેજે કેટલુંક વાચન-મનન થયું હશે તેમ જ તે વિષે કોઈ વિશેષ અભ્યાસીને પણ સંસર્ગ સસંગભાવથી સાધ્યો હશે. આવા સ્વેચ્છાએ કરેલા સંસર્ગમાં શ્રી. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો પત્ર-સમાગમ તેમના (૨૨-૨૩મા વર્ષના) લખાણ-સંગ્રહમાં મળે છે, તે મહત્ત્વનો એક ભાગ છે. ત્રિપાઠી પાસે તે વેદાંતદર્શન વિષે ચર્ચા કરે છે, અને એની અસર એમના ચિંતન-મનનના આ કાળના વલણ ઉપર પ્રભાવશાળી હશે એમ, તેમનાં લખાણ જોતાંય, લાગે છે. જેમ કે, વેદાંત-દર્શન અંગે અમુક ગ્રંથ જોવા, તે એમના સાથી-ભક્તોને સૂચવતા પણ જોવા મળે છે. (જુઓ જેમ કે, શ્રી ૧ - ૨૨૬, ૩૦૨, શ્રી ૨- ૬૯૫, ૮૨૭ વગેરે.)
ઈસ્લામ તથા ખ્રિસ્તી ધર્મોને સમાગમ પણ તત્કાલીન સમાજને હતો. તેથી તે ધર્મોના તત્ત્વ વિષે પણ કવિએ કાંઈ ચિંતનમનનાદિ કર્યું હશે કે કેમ, એમ જિજ્ઞાસા થાય. તેમનાં લખાણો જોતાં, બાઇબલ તથા ઈશુ ખ્રિસ્ત અને તેમના ધર્મ બાબતમાં ગાંધીજીએ તેમને પૂછેલું, તેના જવાબને પત્ર આ અંગે જાણીતો છે. (જુએ શ્રી.૧-૪૮૬-૭)
આ બે મહા-સાધકોને પત્ર-યવહાર પ્રશ્નોત્તરી રૂપે છે. ગાંધીજીના દક્ષિણ આફ્રિકા નિવાસ દરમિયાનના આત્મમંથનમાંથી જાગેલી શંકાઓ કે ઊંડી ચિંતના વિષે છે. તે કાળે ગાંધીજી પિતાની નિષ્ઠા સ્થિર કરવાના ઊંડા ધર્મમંથન રૂપ “શૂર સંગ્રામમાં હતા. ત્યારના તેમના બધા જ પ્રશ્નો તેમની તે કાળની સાધનાના અભ્યાસીને માટે કીમતી સાહિત્ય છે.
કવિના સંબંધે જોતાં, તે પત્રવ્યવહાર જુદી રીતની પ્રસ્તુતતા ધરાવે છે. તે વર્ષ તેમના જીવનનું ૨૭મું હતું – “મુંબઈ, આસો વદ ૬, શનિ, ૧૯૫૦”ના રોજ તેમણે ગાંધીજીને જવાબ લખેલે (ઝી. ૧-૪૮૧). તે કાળની કવિની આંતરસ્થિતિ તેની પૂર્વે ૨૩મા વર્ષમાં જે હશે તેના કરતાં જુદી હતી. કવિ સંતત વિકસતા અને મહાપુરુષાર્થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org