________________
૨૧
શાસ્ત્રાભ્યાસ “રાયચંદભાઈએ ઘણાં ધર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો.. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાન્તનો અભ્યાસ તેમણે કરેલ, તેમ જ ભાગવતનો અને ગીતાજીને. જૈન પુસ્તકો તે જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી. એક વખતનું વાચન તે તે પુસ્તકનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું.
કરાનકંદ અવસ્તા ઇત્યાદિનું વાચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું....” – ગાંધીજી (“શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી' પા. ૫૫.).
ગયા પ્રકરણમાં અંતે ટાંકેલા લખાણમાં કવિ કહે છે – “સર્વ દર્શનથી ઊંચ ગતિ છે', એ તેમની ધર્મોનાં તત્ત્વદર્શનો વિષેની ઉદારભાવે ગ્રહણશીલ વૃત્તિનું ટૂંકમાં નિરૂપણ જ છે જાણો. તેમને શાસ્ત્રાભ્યાસ જૈન ઉપરાંત હિંદુ ધર્મશાસ્ત્ર વિષે પણ વિપુલ હતો; કદાચ તે જૈન દર્શન જેવો અને જેટલો ન હોય; છતાં તેમનાં લખાણોમાંથી જણાય છે કે, તેમણે કેટલુંક હિંદુ ધર્મતત્ત્વ-સાહિત્ય તથા ભક્ત-સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં જોયું હશે. - સામાન્ય રીતે જોતાં પણ માની શકાય કે, ત્યારના જૈન અને હિંદુ એવા સંમિશ્ર સમાજમાંથી પણ તેમને એ બંને ધર્મપરંપરાના સંસ્કારો તે સહેજે પણ મળેલા; તે રીતે તેમના અભ્યાસમાં તેમાંથી કોઈ કોઈ ગ્રંથો પણ આવ્યા હશે અને કે અથવા, કોઈ સત્સંગીના,
- ૧૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org