________________
સદ્ગથ સમાગમ
૧૨૧ બીજો એક પત્ર આ સમયને (વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬) ખંભાતના તેમના સાથી-ભકતોને “ધર્મેચ્છક ભાઈઓ” સંબોધીને છે, તેમાં આ સાધનનું (સ્વાનુભવમૂલક ભાષામાં) વિશ્લેષણ કરી બતાવીને તેનો મહિમા વર્ણવ્યો છે, જેથી તેનું અનુશીલન કરવાની સ્વયં સૂઝ-સમજ મળી શકે. તે આ પત્રમાં (શ્રી.૧-૨૫૩) કહે છે:
જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો:
“સમ્યગ દશાનાં પાંચ લક્ષણો છે;
શમ
સંવેગ ( અનુકંપા નિર્વેદ
આસ્થા “ક્રોધાદિ કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી, તે “શ.'
મુક્ત થયા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં – અભિલાષા નહીં, તે “સંવેગ.'
જ્યારથી એમ સમજાયું કે, ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી - હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ, એ “નિર્વેદ.'
માહામ જેનું પરમ છે એવા નિ:સ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા” – “આસ્થા.”
એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા.” - “આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે.....” ને તે પછી થોડે દિવસે (મોરબી, બી. ભા. વદ ૭, રવિ, ૧૯૪૬) ખંભાતમાં તે ભાઈઓને “મુમુક્ષુ ભાઈઓ” સંબોધનથી અને તમારા સમાગમનો ઇચ્છક એવી સહીથી લખે છે, તેમાં શાસ્ત્ર-પ્રામાણ્ય વિષે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org