________________
૧૨૦
જ્ઞાની ભક્તની પ્રતિભા વિશેષે કરીને હતી. તેથી જ કદાચ તેમના શાસ્ત્રાભ્યાસમાં જૈન તવા દર્શનને વિષેનું પ્રમાણ વિશેષ કરીને થયું હશે.
જૈન દર્શન આત્મવાદી છે, પણ તેનો સાધન-માર્ગ આચારમૂલક કર્મવાદ છે. અકર્મ-સ્થિતિ પ્રાપ્ત કરવી, કેમ કે કમલ દૂર થઈને એ કાળે કેવળ આત્મજ્ઞાન સંભવે, એવો “પૉઝિટિવ' – પ્રત્યક્ષવાદી સાધનવાદ અંગે તેનો સિદ્ધાંત છે. કવિની પ્રતિભા તેમાં વિશેષ રુચિવાળી બને એવી લાગે છે.
તેમ છતાં, કવિશ્રી સર્વધર્મતત્વને પામવા અને તેમાંથી પોતાની સાધનાના ખપને તત્ત્વ-બોધ ગ્રહણ કરવાને તત્પર એવી ઉદાર દૃષ્ટિ ધરાવતા હતા; સ્વભાવબુદ્ધિની નિષ્ઠા ધરાવતા હતા; તેથી કરીને, આત્મપ્રત્યય પામવાને માટે, પોતાની બુદ્ધિથી વિચારીને અને અંતરાત્મામાં તેની કસોટી કરીને ચાલનાર બુદ્ધિયોગ-પરાયણ પુરુષ તે હતા.
એટલે તેથી આ સમયે તે સગ્રંથોનો અભ્યાસ અને સત્સંગસેવનને તેમ જ પોતાના જેવા “ધર્મેચ્છક” કે “મુમુક્ષુ” ભાઈઓ જોડે સત્સમાગમ તેમ જ વિચાર-વિનિમયને મુખ્યત્વે અનુસરતા, એમ બતાવતી અનેક નોંધો, પત્રવ્યવહાર વગેરે મળે છે. જેમ કે “વવાણિયા, પ્ર. ભાદ્ર. વદી ૧૩, શુક્ર, ૧૯૪૬ ”ને પત્ર છે તેમાં આવા સત્સંગનો મહિમા તેમણે જણાવ્યો (શ્રી ૧- ૨૫૧) છે:
“ક્ષીર સન્નનસંપતિરે
મત મવાળવતર ની ““ક્ષણવારને પણ સત્પરૂપનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.' – એ વાક્ય મહાત્મા શંકરાચાર્યનું છે; અને તે યથાર્થ જ લાગે છે.......અંત:કરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે, પરમાર્થરૂપ થવું. અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજી વિયોગમાં છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org