________________
સદૂગ્રંથ-સમાગમ “પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય, તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો.” એવી કવિની “મુંબઈ, અષાડ, ૧૯૪૬ ”ની એક નોંધ (શ્રી.૧-૨૪૫) છે.
તે જ નોંધમાં આગળ સત્સમાગમ કે સત્સંગ વિશે લખ્યું છે :
“ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળ-પણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાભ્ય પણ જીવના
ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગનાં સાધન કયાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. ત્યાગવા યોગ્ય એવાં સ્વચ્છેદાદિ કારણો – તેને વિષે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સપુરુષો વિષે કાં તો વિમુખપણું અને કાં તે અવિશ્વાસપણું વર્તે છે; અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે.”
કવિના જીવનમાં સદ્ગથ અને સત્સમાગમનું આ સાધન પ્રબળમાં પ્રબળ રૂપે વર્તતું જોવા મળે છે. રુચિ અને પ્રકૃતિથી તે ચિંતન-મનનનિદિધ્યાસનના ધ્યાનયોગમાં વિશેષ વૃત્તિ-વલણવાળા હતા. તેને અનુકૂળ અને આવશ્યક એવી અવધાનશક્તિ તેમ જ તર્કપ્રધાન પ્રજ્ઞાબળ એ ધરાવતા હતા; ટૂંકમાં કહ્યું કે, તેમની પ્રતિભા સાંખ્ય-બુદ્ધિયોગને માટેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org