________________
૧૯
ઉપાધિ અને ઉદાસીનતા [“આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ અસંસારી હતા.....”
- ગાંધીજી કવિશ્રીના ૨૩મા વર્ષ સુધીની “સમુચ્ચય-વયચર્યાની સમીક્ષા આપણે આ અગાઉનાં થોડાંક પ્રકરણોમાં કરતા આવ્યા છીએ. તેમાં આપણે જોયું કે, ત્યાં સુધીની પોતાની જીવનસિદ્ધિમાં તેમણે એક ભાવ પિતાને માટે દૃઢ અને સ્થિર કર્યો – “મારે મુક્ત થવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે.”
એવો નિશ્ચય કરનાર તે પુરુષ ગૃહસ્થ છે, ધંધે ઝવેરી છે; છતાં તેમની નોંધપોથી કે લખાણો જે મળે છે તે જુઓ, તો તેમાં એમનાં ઘરસંસાર કે ધંધારોજગાર કે સગાંસંબંધીને વહેવાર, ઇ૦ કોઈ વાતને વિષે ચિંતા કરતી ચર્ચા કે કશા ઉલ્લેખ જેવું ભાગ્યે જોવા મળશે. હા, તે પ્રકારના સંગ સંપર્કને લઈને અનુભવમાં આવતાં ઉદ્વેગ, અકળામણ વગેરેને આવિર્ભાવ, અને તેમાંથી ઉદ્ભવતા પ્રતિભાવો – વૈરાગ્ય અને ઉદાસીનતા ભરેલા ઉદ્ગારો તેમનાં આ કાળનાં અનેક લખાણમાં મળે છે, અને તેમાં સંસારીને થતી હાયહોય કે આજંદની ચિંતા-ચટપટી મુખ્ય નથી. પણ એમ પણ ન કહેવાય કે, તેમનામાં બીજાઓ પ્રત્યે સદભાવ-સમભાવની કોમળ લાગણીઓ નહોતી. પોતાનાં વત્સલભાવ અને અનુકંપા વિષે તેમણે જ લખ્યું છે કે, બીજાથી જુદાઈ લાગતાં “મારું અંત:કરણ રડી પડવું.”
આ જ સમય દરમિયાન, મુંબઈથી માગશર વદ ૯, સેમ ૧૯૪૯ રોજ લખેલા પત્રમાં (શ્રી ૧-૪૦૮) તેમના ચારિત્ર્યનો (લાગણીભાવની કોમળતાનો) આ ગુણ વળી વધારે સ્પષ્ટ કરેલો મળે છે:
૧૧૩ - જ્ઞા૦-૮ • •
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org