________________
૧૧૪
જ્ઞાની ભકતની પ્રતિભા ઉપાધિ વેચવા માટે જોઈતું કઠણ પણું મારામાં નથી; એટલે અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉદય-રૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે.
પરમાર્થનું દુ:ખ* મટ્યા છતાં, સંસારનું પ્રાસંગિક દુ:ખ રહ્યા કરે છે, અને તે દુ:ખ પોતાની ઈચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે અને તે વિટંબના વિષે ચિત્ત ક્યારેક કયારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે.
“આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય; કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્દેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસારપ્રસંગનું પણ જણાવ્યું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતું હોય, તે તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણોને હોય, એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્દે ગને લીધે કયારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે; અને તે બધાં કારણને પ્રત્યે વર્તવાને માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે, એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે.”
સામાન્ય લોકને થતા આવા ઉદ્દેગ ઇવથી બચવા માટે, પોતાનાં અધ્યાત્મ-પ્રેમ અથવા જ્ઞાન-મોક્ષ-પરાયણતા દ્વારા કવિશ્રી પ્રયત્નશીલ છે, અને ઉપરના પત્રમાં આગળ આ જ વસ્તુ તે લખે છે :
જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે, કોઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુ:ખે શાચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટ નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં, જેને દેહને વિષે મૂળ નથી વર્તતી, તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે.
* કારણ કે, મેક્ષ વિષે નક્કી શ્રદ્ધાબુદ્ધિ થઈ હેવાથી, એમ અહીં કહેતે લાગે છે. - ભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org