________________
૧૧૨.
જ્ઞાની ભક્તની પ્રતિભા ઓગણીસેં. સુડતાલીસે
સમકિત* શુદ્ધ પ્રકાડ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા,
નિજસ્વરૂપ અવભાચું રે” એમને આ વર્ષે આત્મનિષ્ઠા સાંપડી : અન્યાન્ય વાસનાઓના ઉદય, આ નિષ્ઠાના શામક પ્રકાશમાં, મોળા પડી ગયા : મહાકાંક્ષા ઇ૦ ભાવેને ઉદ્રક શમવા તરફ વળ્યો.
જ્યોતિષ વિદ્યાનો ખપ જોઈને, કવિશ્રી એમની ભારે અવધાનશક્તિથી તે ભણવામાં લાગ્યા; મુંબઈમાં તે શીખવનાર વિદ્વાનોને લાભ મળી ગયો; તેમના કરતાંય કદાચ વધારે ઊંડાણથી તેમની વિદ્યા હાથ કરી; અને પિતાના મહાકાંક્ષી મનોરથની સેવામાં તેને કામે લીધી.
લગ્નજીવન કવિએ પૂર્વજન્મના પ્રારબ્ધયોગે સમજીને સ્વીકાર્યું હતું. તેવું તેમની ધર્મસુધારણાની મહાકાંક્ષા માટે ન કહી શકાય. તે માટે તેમણે સંક૯પપૂર્વક મનથી તેને સમારંભ ઉપાડયો હતો. નાનપણમાં જે ઊર્મિ વૈષ્ણવ હવેલી ધર્મના મહારાજને જોઈને થતી, તે જ ભાવ, સમજજ્ઞાનના પ્રતાપે સંશુદ્ધ થઈને, પરમાર્થક ધર્મસુધારણા કરવાની મહાકાંક્ષામાં પરિણમ્યો હતો. અને તેની સેવામાં પાથેય તરીકે તે પ્રથમ આત્મસિદ્ધિનું સામર્થ્ય મેળવવામાં લાગ્યા હતા. એમાં જ તેમણે જ્યોતિવિદ્યા હાંસલ કરી, અને તેને પણ ઉદાસીનતાના તરાગ્ય-યજ્ઞમાં હોમીને તે પોતાની અધ્યાત્મયાત્રામાં આગળ ચાલ્યા.
જ સમકિત એટલે આત્મદર્શન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org