________________
જ્યોતિષને અભ્યાસ હતા. તેમાં સારા જ્યોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ પ્રત્યે આકર્ષણ થયું. એ રીતે શ્રીમદ્ જ નિષ જાણવાની ઇચ્છા પૂરી કરવાનાં સાધનોની પ્રાપ્તિ થઈ. વિદ્વાન જ્યોતિષીએ'નું નિમિત્ત પામી શ્રીમદ્ તે વિદ્વાનો કરતાં પણ આગળ વધી તે વિદ્યામાં પારંગત થયા હતા.
“આ બાબતમાં એક પ્રસંગ જાણીતા છે. ઝવેરી રેવાશંકરભાઈ વકીલાત કરતા હતા; અને વેપારમાં પડવા સ્વપ્ન પણ વૃત્તિ ન હતી; અને તે વખતે સહેજ કરજવાન પણ તેઓ હતા. તેમની કુંડળી જોઈને શ્રીમદે જણાવ્યું હતું કે, તેમને વેપારમાં અત્યંત લાભ છે, બલકે લક્ષાધિપતિ થવાનો યોગ છે, એમ જણાવી વકીલાત છોડીને મુંબઈ જવા શ્રીમદે તેમને પ્રેરણા કરી. શ્રી. રેવાશંકરભાઈએ તે પ્રમાણે કર્યું અને શ્રીમદ ભાખેલું સાચું ઠર્યું.”
આમ શ્રી. કલાર્થી માહિતી આપે છે. આ જ સમય દરમિયાન રેવાશંકરભાઈના મોટાભાઈની પુત્રી સાથે કવિશ્રી લગ્ન કરે છે મતલબ કે, ૧૯-૨૦મા વર્ષને યોગ શ્રીમના જીવનમાં આ રીતે વિલક્ષણ હતો : તે વર્ષમાં અવધાન-બળે તે જગત આગળ આવ્યા, અને (દુનિયાની નજરે પણ) લગ્ન, લક્ષ્મી ઇ0નો યોગ પણ આ સમયે ઉદય પામે છે. અને તેમાં નોંધપાત્ર એ છે કે, તે પછી તરત : - કહો કે, તેની જોડાજોડ, – તેમની મુમુક્ષા અને વૈરાગ્યભાવ, કેવળ શાસ્ત્રશ્રુત આધારથી આગળ વધીને, જાગૃતભાવે સક્રિય બને છે; અને સં. ૧૯૪૭માં તે સ્થિતિ વિશે તેમનું જ કાવ્ય તેમના “આત્યંતર પરિણામ-અવલોકન” રૂપ હાથનોંધમાં મળે છે, તેમાં તે આત્મનિવેદન કરે છે કે,
“ઓગણીસેં ને એકત્રીસે
આવ્યો અપૂર્વ અનુસાર રે; - ઓગણીસેં ને બેતાલીસે,
અદભુત વૈરાગ્ય-ધાર રે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org