________________
• ૧૧૦
જ્ઞાની ભકતની પ્રતિભા વિદ્યામાંથી પણ (જેમ અવધાનશક્તિ પરત્વે બન્યું તેમ) ઉદાસીન ભાવ પર તે પહોંચ્યા છે; અને સ્પષ્ટ કહે છે કે, એ વિદ્યાથી મળતા ભવિષ્યજ્ઞાન તેમ જ સિદ્ધિઓની ઇચ્છા નથી. મતલબ કે, આ સમયે તે પોતાની મહાકાંક્ષા વિષે દમન કેળવવા લાગ્યા છે – આત્મભાવમાં - જઈને ઉદાસીનતા ધરવા તરફ છે. છે આ પરથી સમજવાનું એ છે કે, શ્રેયમાર્ગમાં પ્રગતિ કરતા યાત્રી સાધકે આવો વાસનાય કરવો જ પડે છે; – જેની જેવી વાસના, (સ્વાર્થક કે પરાર્થક તે હોય તોપણ) તેનું બંધન, અંતે મુક્તિને હિસાબે, સરખું જ છે. બલ્ક, પરાર્થક બંધન વધારે મોહનું કે સુવર્ણમય પણ લાગે !
- કવિશ્રી તેમના જીવનમાં આ વિદ્યા વિષેની પ્રીતિમાં કઈ રીતે વળ્યા, તે વિષે શ્રી. કલાર્થી તેમના જીવનચરિતમાં કહે છે તે, – આ ચર્ચાને અંતે, હવે જોઈએ. તેમના પુસ્તકના પા. ૬૯ની નીચે ટીપમાં (ઉપરના પત્રમાં “જ્યોતિષાદિક તરફ ચિત્ત નથી” એ વાકય ઉપરથી નીચે આ ટીપ જોડી છે.) કહે છે:
“શ્રીમદ્ જ્યોતિષ વિદ્યામાં પણ પ્રવીણ હતા. આ બાબતમાં એવું બન્યું કે, સં. ૧૯૪૩ના ભાદરવામાં મુંબઈ જતાં પહેલાં શ્રીમદ્ જેતપર (મોરબી તાબે) પોતાના બનેવી રા. ચત્રભુજ બેચરને ત્યાં ગયા હતા. તે વખતે શ્રીમદ્ભી આર્થિક સ્થિતિ સાંકડી હતી. જેતપરમાં - શંકર પંચોળી નામના એક વિદ્વાન જોશી હતા. તે ભાઈ ગણિત-ફલાદેશ
સારું જાણતા હતા. તેમને ચત્રભુજભાઈએ શ્રીમના મુંબઈના પ્રયાણ તથા અર્થ-પ્રાપ્તિ સંબંધમાં પૂછયું. તેથી શંકર પંચોળીએ પ્રશ્નકુંડળી ચીતરીને, મુંબઈ પ્રયાણ પછી અમુક મુદતમાં દ્રવ્યલાભ વગેરે ફળ વર્યું. તેમાંનું અમુક ફળ્યું અને અમુક બરાબર ન ફળ્યું. તેથી શ્રીમદ્ બરાબર જ્યોતિષ જાણી લેવાની જિજ્ઞાસા ઉદ્દભવી.
મુંબઈમાં શતાવધાન કરી શ્રીમદે ઉત્તમ ખ્યાતિ મેળવી. તે વખતે મુંબઈના અગ્રગણ્ય વિદ્વાનો, પંડિત, શ્રીમાન વગેરે હાજર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org