________________
જ્યોતિષને અભ્યાસ
૧૦૯નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તે પણ ભલે અને ન હો
પણ ભલે, એ કંઈ દુ:ખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્રા વિશ્વમાત્મા છે; અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે, એ વૃત્તિને લીધે. સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલેક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી, તથાપિ સહન કરવા જીવ ઇચ્છતો નથી ! પરમાનંદ ત્યાગી એને ઇરછે પણ કેમ?”
આમ પોતાની વૃત્તિ લંબાણથી નિરૂપીને આગળના પત્રાના વાકયમાં કહે છે, જે (જ્યોતિષ અંગેના ચાલુ પ્રકરણમાં) પ્રસ્તુત ભાગ છે: તે લખે છે:
અને એ જ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્તા નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ.
જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે, તેઓ મહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવાં દુર્લભ છે, એમ માન્યતા છે; તે તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી; પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ. ઇચ્છા તો નથી થતી. ........”
એમ લાગે છે કે, શ્રી. સેભાગચંદે અમુક પ્રશ્ન કરી તેને જોશ, પૂછયો હશે; તે ઉપરથી શ્રીમદે પોતાની તે વિદ્યા પરત્વે આ કાળે પ્રવર્તતી ભાવના કહી હોય. અને તે તે બતાવે છે કે, આ સમયે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org