________________
જ્ઞાની ભકતની પ્રતિભા એ પત્રમાં તે લખે છે, તેમાં એ જ તે કહે છે કે, પોતે શી રીતે નિશ્ચિત થયા : તે લખે છે:
“ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુ:ખી હોતો નથી, અથવા દુ:ખી હોય તો દુ:ખ વેઠતો નથી: દુ:ખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.
આભેચ્છા એવી જ વર્તે છે કે, સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવે, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો.”
વાસનાનું પ્રાબલ્ય કેવું દુર્દમ્ય છે તે કોણ નથી જાણતું? તેમાંય લોકેષણાની મહત્ત્વાકાંક્ષા તે મહા બળવાન મનાઈ છે – સોનેરી સાંકળ સાધકને માટે તે કહેવાઈ છે. શ્રીમન્ની શ્રેષ્ઠ ધર્મ-સંસ્થાપનની મહત્ત્વાકાંક્ષા એવી હતી. આ પત્રમાં કઈ વિશેષ ઉપાધિ અંગેનો ઉલ્લેખ છે, તે સ્પષ્ટ નથી જણાવ્યું. “અમુક કામથી ઉત્પન્ન થઈ છે. ....... આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે” – એટલું નિર્દેશ્ય છે. પણ એ વિશે વધુ ન જાણીએ તો પણ વાંધો નથી; કેમ કે, અહીં આપણે કવિના આંતરજીવનની વૃત્તિ સમજવા ચાહીએ છીએ; અને તે વિષે સદરહુ પત્ર લંબાણથી નિરૂપણ કરે છે.
ચિતા કેમ નથી તે પત્રમાં જણાવીને કવિ પોતાની ચિત્તાદશા લંબાણથી જણાવતાં મિત્રોને કહે છે :
“રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ, અને તેની મજાને એક જ એ જ રંગનું રંગન છે. . અને તેને લીધે ...... નથી અસંગ ગમતો કે નથી સંગ ગમત, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે; તથાપિ તે પ્રત્યે આશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org