________________
તિષને અભ્યાસ
૧૦૭ • અહીં વળતીએ બીડી દેશો.’ એમ આ કાળે કવિશ્રીની ભાવના જ્યોતિષ વિષે વર્તતી હતી.
અને આ રીતે તેઓ તેમના સાથી મિત્રોને વિષે પણ ફલજ્યોતિષ ઇ૦ જોતા-જોવડાવતા હતા. તેમનાં લખાણોમાં બીજો ઉલ્લેખ જોવા મળ્યો તે છે, તેમણે એમના પરમ આત્મબંધુ મિત્ર શ્રી. સોભાગચંદને લખેલા પત્રમાં. આ પત્ર તેમના ૨૩મા વર્ષનો (વવાણિયા, બીજા ભાદરવા સુદ ૨, ભેમ, ૧૯૪૬; શ્રી. - પા. ૨૫૧) છે; તેમાંથી લાંબાણમાં કેટલુંક જોવા જેવું છે, કેમ કે, શ્રીમદ્ભા આ જ્યોતિષ વિશેના વિચારોમાં એક નોંધપાત્ર પરિવર્તન તે બતાવે છે. તેમાં તે લખે છે કે,
“...અત્રો જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કાંઈ કલ્પના પણ થતી નથી; અર્થાત્ તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેલી નથી. એ ઉપાધિ કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી, એ કાંઈ નવાઈની વાત નથી.”
પત્રમાં શરૂમાં, કવિને એ સમયે અમુક ઉપાધિ આવી છે, એને ઉલ્લેખ છે. આવે સમયે જ સંસારમાં લોકો ફલજ્યોતિષ, મુહર્ત આદિની ગ્રહદશા વગેરે જોવા પ્રયાણ કરે છે. તેમ જ કોઈ મોટું કાર્ય કરવા જતાં, તે ફળશે કે કેમ, ઇ૦ ભાવો જાગીને સહેજે ચિંતા કરાવે છે. જ્યોતિષ વિદ્યા આ ભાવોમાંથી ખપ મેળવી શકે છે. એનું એક ગણિત શોધાયું છે, જે દ્વારા કામ તે વિદ્યાવાળાઓ કરે છે. કવિશ્રી એમને આવેલી ઉપાધિને અંગે કહે છે કે, હું નિશ્ચિત થયો છું. ગ્રહદશા ઇ૦ જોવા કરવામાં પ્રયાણ નથી થતું, એ અહીં નોંધપાત્ર છે. ૧૯મા વર્ષથી ૨૩મા વર્ષમાં આ જે વૃત્તિ-ફેર થયો છે, તે દર્શાવતો આ પત્ર બહુ સ્પષ્ટ રૂપે તેમને એ ભાવ દર્શાવે છે. પ્રારંભે ઉપરનું લખીને પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org