________________
સાંપરાય-દષ્ટિ અને અધ્યાત્મ-પ્રવેશ આ જ સમયે બીજો એક પત્ર તેમનો છે, તેમાં વળી તે પુનર્જન્મ અને આત્મત્વના સંબંધમાં બંધાયેલી પોતાની સ્પષ્ટ સમજ નિરૂપે છે:
વવાણિયાથી (મેષ્ઠ સુદ ૪, રવિ, ૧૯૪૫) લખેલા એ પત્રમાં તે (નીચે “ધર્મજીવનના ઇચ્છક’ એમ સહી કરતાં) કહે છે:
મહાવીરના બધેલા “આચારાંગ’ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે, giાં વાળ તેવું વાળ, ને સર્વ કાળ સે પાં નાકું . એકને જાણો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. આ વચનામૃત એમ ઉપદેશ છે કે, એક આત્મા
જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે, તે પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી, તે આત્માને જાણતા નથી. આ બધ અયથાર્થ ઠરતો નથી.
“આત્મા શાથી, કેમ, અને કેવા પ્રકારે બંધાયો છે – આ જ્ઞાન જેને થયું નથી, તેને તે શાથી, અને કેવા પ્રકારે મુક્ત થાય, તેનું જ્ઞાન પણ થયું નથી; અને એ ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધનો પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે.....” (શ્રી.૧-૨૧૩)
અને આત્મા એટલે જ ટૂંકમાં અમરત્વ અમૃતત્વ – એટલે કે, મરણનાં દર્શન, – જીવનનાં સતત કામકાજ કરતાં છતાં, –છતે જીવને થવાં જોઈએ. જો કે, સિદ્ધાર્થ જરા, મરણ, અને રોગનું દુ:ખ પામીને તેના આત્યંતિક નિર્વાણને માટે ઉઘત થયા; નચિકેતા મરણના મારે અમૃતત્વનાં દર્શનની ઝંખના પામીને ત્રીજો વર માગે છે. જીવનને, એટલે કે, આ જગતને મરણના ફલક પર પામવા વિના આત્મદર્શનનાં દ્વાર ઊઘડે નહીં. - અને, અંતે જોતાં, જગત ક્યાં છે? બાહ્ય દૃશ્ય જગતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org