________________
પપ૯. ૧૦. કસુંબાના જલદી ઊડી જાય એવા “રાગ” (રંગ)ની
માફક જેમનાં અંતરમાં ફક્ત સૂક્ષમ રાગ બાકી રહી ગયા હોય તે મુનિઓને સૂમ-સરાગ અર્થાત્ સૂક્ષ્મ – કષાયવાળા જાણવા જોઈએ. આ સૂમ-સંપાય નામનું ગુણસ્થાનક છે.
૫૬૦. ૧૧. જેવી રીતે કતક (નિર્મની) ફળથી યુક્ત જળ,
અથવા, શરદકાલીન સરોવરનું જળ (માટી નીચે બેસી જાય ત્યારે ) નિર્મળ સ્વચ્છ હોય છે, તેવી રીતે જેઓને સંપૂર્ણ માહ ઉપશાંત થઈ ગયેલ છે તે નિર્મળ પરિણામી ઉપશાંત-કષાય (ઉપશાંત-મેહ ગુણસ્થાને) કહેવાય છે. (ઉપશાંત કષાય અને ક્ષીણ કષાયમાં એટલે જ ફરક છે કે ઉપશાંત-કવાય વાળાનો મેહ દબાયેલા રહે છે જ્યારે ક્ષીણ-કષાય વાળાને મોહ નાશ પામે છે.) છતાં પણ જેવી રીતે પાણી હાલી જાય એટલે નીચે બેઠેલી માટી ઉપર આવી જઈ પાણી ડહોળું બની જાય છે તેવી રીતે મેહના ઉદયથી આ ઉપશાંત-કષાય શ્રમણ સ્થાન–ચુત બની સૂક્ષમ-સરાગ દશામાં (દસમાં ગુણસ્થાન કે) પહોચી જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org