________________
૨૧૧. સમ્યમ્ દર્શન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના
ચારિત્ર-ગુણ નથી. ચારિત્ર વિના મોક્ષ (કર્મક્ષય) નથી
અને મેક્ષ વિના નિર્વાણ (અનંત આનંદ) નથી. ૨૧૨. જેવી રીતે પાંગળી વ્યક્તિ વગડામાં લાગેલી આગને
જોઈને પણ ભાગવામાં અસમર્થ હોવાથી બળી મરે છે, અને આંધળી વ્યક્તિ દોડી શકવા છતાં જોવામાં અસમર્થ હેવાથી બળી મરે છે–તેવી રીતે ક્રિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની
કિયા વ્યર્થ છે. ૨૧૩. જેવી રીતે વગડામાં પાંગળો અને આંધળે મળ્યા અને
બનેનાં પારસ્પરિક સંપ્રયોગથી (વગડામાંથી સહીસલામત નીકળી)બને નગરમાં પ્રવિષ્ટ થયા તેવી રીતે કહેવામાં આવે છે કે જ્ઞાન અને યિાના સંગથી જ ફળ પ્રાપ્તિ થાય છે. એક પૈડાથી
રથ ચાલતું નથી. (આ) નિચય રત્નત્રય : ૨૧૪,
જે તમામ નય-પક્ષેથી રહિત છે તે જ “સમયસાર છે. , એને જ સમ્યગ્દર્શન તથા સમ્યગ જ્ઞાનની
સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ૨૧૫.
સાધુઓએ હંમેશાં દશન, જ્ઞાન અને ચારિત્રનું પાલન કરવું જોઈએ. નિશ્ચય – નય અનુસાર આ ત્રણેયને આત્મા જ સમજ જોઈએ. આ ત્રણેય આત્મ-સ્વરૂપ જ છે, એટલા માટે નિશ્ચયથી આત્માનું સેવન જ ઉચિત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org