SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વા. ૧૯ છે. તેનો ઉલ્લેખ ૧૯મી કડીમાં થયો છે. મેં આગળથી લહી નહીં, સાસુ એહવી નાથ રે; આપી ગાંઠની ખીચડી, જાવું ઘેલાની સાથ રે. ગુણાવલીનો પશ્ચાતાપ ભાવવાહી શબ્દોમાં વ્યક્ત થયો છે. મ્હારૂં કર્યું મુજને નડ્યું, આડું આવ્યું કોઈ રે, ચોરની માતા કોઠીમાં, મુખ ઘાલી જિમ રોય રે. પસ્તાવો શો કરવો હવે,કહ્યું કાંઇ ન જાય રે, પાણી પી ઘર પૂછતાં, લોકોમાં હાંશી થાય રે, જે કાંઇ ભાવી ભાવમાં,જે વિધિ લખિયા લેખ રે, તે સવિ ભોગવવા પડે, સિંહા નહીં મીન ને મેખ રે. ! સાસુને કહેવરાવજો, ઇહાં આવ્યાનો ભાવ રે, પછે જેહવા પાસા પડે, તેહવા ખેલીશ દાવ રે. “ રાધા પતિ કે કર વસે, પંચ જ અક્ષર લેજોરે પ્રથમ અક્ષર દૂરે કરી વધે તે મુજને દેજો રે..’’ વાં-૩૧ ગુણાવલી અંતે જણાવે છે કે, મારા અવગુણોને ખારા પાણીમાં નાખજો અને દાસી તરીકે મને ગણજો. ફરીથી પત્રલખશો અને દર્શન આપજો.તમારા શરીરનું જતન રક્ષણ કરજો. ચંદરાજાની ચાર સમસ્યા ગુણાવલી સમજી ગઇ. પ્રત્યુત્તર પાઠવતી વખતે છેલ્લે એક સમસ્યા લખે છે તે પણ તેણીના મનની ઈચ્છા પ્રગટ કરે છે. Jain Education International વા. ૨૫ ૬૬ વાં-ર૬ વાં-૩૫ આમ ગુણાવલી ચંદરાજાને પત્ર મોકલે છે અને એમની આશા ફ્ળીભૂત થશે. ઉપરોક્ત સમસ્યાનો અર્થ ‘સુદરશન’ છે પ્રથમ અક્ષર ‘સુ’ કાઢી નાંખતા ‘દરશન’ શબ્દ રહ્યો તેનો અર્થ ‘મિલન’ એમ ગુણાવલી સમસ્યા દ્વારા સ્વામીને મળવાની અંતરની ઈચ્છા પ્રગટ કરે છે. For Private & Personal Use Only વાં-૨૭ www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy