SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વ્હાલાનો કાગળ દેખીને ટળીયા દુઃખના વૃંદ રે, પિયુને મળવા જેટલો ઉપન્યો છે આણંદ રે. સોળ વરસના વિયોગનું પ્રગટ્યું દુઃખ અપાર રે, કાગળ વાંચતાં વાંચતાં ચાલી છે આંસુની ધાર રે. વા.૮ પ્રેમીઓની વિયોગાવસ્થાની સ્વાભાવિક સ્થિતિનું નિરૂપણ થયું છે. પત્ર દ્વારા હર્ષ અને આંસુ એમ બંનેની અનુભૂતિ એ પ્રેમીઓના આનંદની અનેરી રીત છે. ભાગ્યમાં જે લખ્યું હોય તે થાય છે. તમે મારા અવગુણ જોઈને જે લખ્યું છે તે હું સ્વીકારું છું. તમારી ચા૨ સમસ્યા સમજી શકી છું તેનો અર્થ વિચારતાં મનમાં અપાર હર્ષ થાય છે. કવિએ દૃષ્ટાંત અલંકાર દ્વારા ગુણાવલીના અવગુણનો ઉલ્લેખ કર્યો છે. હું તો અવગુણની ભરી, અવગુણ ગાડાં લાખ રે, જિમ કોઈ વાયુના જોગથી, બગડી આંબા સાખ રે. વા. ૬ વા. ૧૨ આપ સાગર સમાન ગંભીર છો. વિવિધ દૃષ્ટાંતો દ્વારા સ્વામીની મહત્તા દર્શાવતાં કવિ જણાવે છે કે - મુજ અવગુણ જોતાં થકાં, નાવે તમને મહેર રે; પણ ગિરૂઆ ગંભીર છો, જેવી સાયર લહેર રે. ગિરૂઆ સહેજે ગુણ કરે, કંતમ કારણ જાણ રે; જળ સીંચી સરોવર ભરે, મેઘ ન માગે દાણ રે, પત્થર મારે છે તેહને, ફળ આપે છે અંબ રે; તિમ તુમ સરિખા સાહિબા, ગિરૂઆ ગુણની લંબ રે. કાપે ચંદન તેહને આપે છે સુગંધ અપાર રે; મુજ અવગુણ નાણ્યા હિયે ધન્ય ધન્ય તુમ અવતાર રે. વા. ૧૬ ગુણાવલી સાસુના વચન પર વિશ્વાસ મુકીને છેતરાઈ ગઈ Jain Education International ૬૫ For Private & Personal Use Only વા. ૧૩ વા. ૧૪ વા. ૧૫ www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy