________________
આ ચાર સમસ્યાનો અર્થ વિચારજો એટલે અત્યંત હર્ષ થશે ) - પ્રણય ભાવના પણ વૃદ્ધિ પામશે. મધ્યકાલીન લોકવાર્તાપદ્યવાર્તામાં આવતી સમસ્યા પૂર્તિનો સંદર્ભ છે. પ્રેમના સંબંધમાં પત્ર લખ્યા પછી પ્રત્યુત્તરની તીવ્ર અભિપ્યા હોય છે, તેનું નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે – કાગળ વાંચી એહવો જી, લખજો તુરત જવાબ સાસુને ન જણાવશોજી, જે હોય ડહાપણ આપ. ગુ. ૩૦
આ પત્રની વાત સાસુને ન જણાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ચતુર સ્ત્રી આ વાત ગુપ્ત રાખે. વ્યવહાર જીવનમાં પણ ગુપ્ત રાખવા જેવી વાતો પ્રગટ ન થાય તે માટે ચતુરાઈ વાપરવી પડે છે. તેનો અંહી નિર્દેશ કર્યો છે. પત્રના અંતે કવિ જણાવે છે કે - ઈણિ પરે ચંદ નવેસરેજી, લખિયો લેખ શ્રીકાર, દીપવિજય કહે સાંભળોજી, આગળ વાત રસાળ.
ગુ. ૩૨ આગળ વાત રસાળ કરીને પ્રત્યુત્તરનું સૂચન કરે છે.
ગુણાવલી રાણી લિખિત પત્ર : સ્વસ્તિશ્રી વિમળાપુર બિરાજમાન વીરસેન રાજાના કુળ દીપક રાજરાજેશ્વર ચંદનરેશ વહાલાજીનું સંબોધન વિશેષણ યુક્ત કવિની શૈલીનો નમૂનો છે. આ પત્ર પ્રેમપૂર્વક વાંચશોજી, દાસી રાણી ગુણાવલીના સલામ. તમારી કુશળતાનો પત્ર લખજો.
તમે મારા પર કૃપા કરીને સમાચાર દર્શાવતો પત્ર લખી , આ સેવક ગિરધર સાથે મોકલ્યો છે તે મને હાથોહાથ મળી ગયો છે. હું
સ્વામીનો પત્ર મળ્યાનો પ્રતિભાવ દર્શાવતાં કવિ જણાવે છે કે
૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org