SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પુખલવઈવિજયે સામી, પુંડરિગિણીહ નયરીએ, સીમંધર જિણચંદા, વિહરતી દેહિ મેં ભદ્રં ૪. શ્રી સીમંધર સ્વામીની વિનંતિ. મહાવિદેહક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર સ્વામીને વિનંતી રૂપે બે પત્રો પ્રાપ્ત થાય છે. એક પત્ર તપાગચ્છના આ. વિજયસેનસૂરિના શિષ્ય કમલવિજયે સં. ૧૬૮૨માં રચના કરી છે. બીજો પત્ર હર્ષવિજયે સંવત ૧૮૫૩માં રચ્યો છે. સીમંધર સ્વામી પ્રત્યેની ભક્તિ ભાવના વ્યક્ત કરતી આ કાવ્ય રચના પત્ર શૈલીમાં પ્રાપ્ત થાય છે. પત્રની પદ્ધતિ અનુસાર ગામ, લખનાર, પત્ર લખ્યાનો સમય, અને ભગવાનનો મહિમા ગાઈને આ સેવક દાસનો ઉદ્ધાર કરવાની વિનંતી કરવામાં આવી છે. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો : આરંભમાં કવિ જણાવે છે કે સ્વસ્તિ શ્રી મહાવિદેહક્ષેત્રમાં, જીહાં રાજે તીર્થંકવીરા તેને નમું શીશ, કાગળ લખું કોડથી. લખનારનો ઉલ્લેખ : દેવે પાંખ આપી હોત પીઠમાં, ઊડી આવું દેશાવર દૂર તો પહોંચું હજાર, કાગળ. ભક્તની ભગવાનને વિનંતી : (3) ભરત ક્ષેત્રથી લીખીતંગ જાણજો, આપ દર્શન ઈચ્છુક દાસ, રાખું તુમ આશ. કાગળ. ૫૮ || ભરતક્ષેત્રમાંથી મહાવિદેહમાં જવાની શક્તિ નથી એટલે કવિ કલ્પના કરીને જણાવે છે કે Jain Education International ૫૮ = For Private & Personal Use Only ||૧|| સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર, ઉતારો ભવ પાર. કાગળ. ||૧૪ || ||૩|| www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy