________________
પ્રતિભા દર્શન
જે ૬૧૦
સાહિત્ય સર્જક પ્રતિભાઓ
–કીર્તિદાબેન શાહ
અનુભૂતિ અને અભિવ્યક્તિ પરત્વે વૈવિધ્ય દાખવનાર સાહિત્યસર્જક પ્રતિભાઓએ કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્રસાહિત્ય, બાળસાહિત્ય, અનુવાદ, નિબંધ વગેરે વિવિધ સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. -તેમાં આધુનિક્તાની મુદ્રા ઉપસાવનાર કવિ, વિવેચક, ચરિત્રકાર અને સંપાદક અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ, વિવેચક, ચિત્રકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, સંપાદક અને અનુવાદક કુમારપાળ દેસાઈ, કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને વિવેચક ચીનુ મોદી, સર્જક વ્યક્તિત્વની વિવિષ્ટ છાપ અંકિત કરનાર કવિ, વિવેચક, અનુવાદક અને સંપાદક નિરંજન ભગત, અધ્યાત્મતંતુનું સાતત્ય દાખવનાર કવિ પ્રજારામ રાવળ, હાસ્ય નિબંધકાર બકુલ ત્રિપાઠી, વિવેચક, સંપાદક અને પ્રવાસનિબંધકાર ભોળાભાઈ પટેલ, વાર્તાકાર મોહનલાલ દેસાઈ, કવિ, નવલકથાકાર અને વિવેચક રઘુવીર ચૌધરી: નિબંધકાર, ચરિત્રકાર અને ગઝલકાર રતિલાલ ‘અનિલ', હાસ્ય નવલકાર અને વિનોદપ્રધાન નિબંધકાર રતિલાલ બોરીસાગરઃ નાટ્યકાર અને અનુવાદક લવકુમાર દેસાઈઃ વિનોદપ્રધાન નિબંધકાર વિનોદભટ્ટ, બાલસાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદી, વાણિજ્ય વિદ્યાશાખાના ગ્રંથો આપનાર, જૈન ધર્મના સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર શ્રેણિક શાહ, નાટ્યકાર, વિવેચક અને કવિ સતીશ વ્યાસ, કવિ, નિબંધકાર, વિવેચક અને સંપાદક સુરેશ દલાલ આપણી સાહિત્ય સર્જક પ્રતિભાઓ છે.
આ સાહિત્યસર્જક પ્રતિભાઓનો પરિચય કરાવનાર શ્રીમતી કીર્તિદાબહેન શાહ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં અધ્યાપક તરીકે હાલમાં સેવા આપી રહ્યાં છે. તેમણે ઇ. બી.એ., ૧૯૮૦માં એમ.એ. અને ૧૯૯૦માં પી.એચ.ડી. કર્યું.
તેમના પ્રગટ પ્રકાશનોમાં “ચિત્ત વિચાર સંવાદ”, “જ્ઞાનવિમલભક્તિ પ્રકાશ”, “જ્ઞાન વિમલ સઝાય સંગ્રહ”, “આરામ શોભા રાસ” વગેરે છે. સાહિત્યની પ્રવૃત્તિઓમાં હંમેશા તેમનું યોગદાન રહ્યું છે. –સંપાદક
શેઠ ચંદ્રકાંત ત્રિકમલાલા કવિતા, નિબંધ, વિવેચન, વાર્તા, સંપાદન એમ વિવિધ સ્વરૂપોમાં એમનું પ્રદાન છે. “આર્યપુત્ર', “નંદ સામવેદી',. ‘બાલચંદ્ર’ જેવાં ઉપનામોથી એમણે કેટલુંક સર્જન કર્યું છે. એમનો જન્મ કાલોલ (જિ. પંચમહાલ)માં. વતન ઠાસરા (જિ. ખેડા). ઇ. સ. ૧૯૫૪માં મેટ્રિક. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૧માં એમ.એ., ૧૯૭૯માં “ઉમાશંકર જોષી : સર્જક અને વિવેચક' વિષય પર ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧-૬૨માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ-અમદાવાદથી એમની અધ્યાપક તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ પછી કપડવંજ કોલેજ અને અમદાવાદની ભક્ત વલ્લભ ધોળા-કોલેજમાં પણ તેમણે સેવા આપી. ઈ. સ. ૧૯૭૨થી તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક થયા. ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાય
મંદિરમાં નિયામકપદે રહ્યા. પછી ૧૯૮૫થી ગૂજરાત વિદ્યાપીઠમાં રહ્યા ને ત્યાંથી નિવૃત્ત થયા. ૧૯૬૪માં તેમને કુમાર ચંદ્રક અને નર્મદચંદ્રક મળ્યા. ૧૯૮૪-૮૫નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યું. ૧૯૮૫માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ મળ્યો. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પવન રૂપેરી' (૧૯૭૨) છે. આ સંગ્રહના કાવ્યોમાં સંવેદન અને અભિવ્યક્તિ પરત્વે કવિ આધુનિક મિજાજ દાખવે છે. “ઊઘડતી દીવાલો' (૧૯૭૪)ની રચનાઓમાં આધુનિક વલણ બલવત્તર બન્યું છે. “ચાંદલિયાની ગાડી' (૧૯૮૦) બાળકો માટે, તો “પ્રૌઢશિક્ષણ ગીતમાળા' (૧૯૮૬), પ્રૌઢો માટે રચાયેલાં ગીતોનો સંગ્રહ છે. ‘પડઘાની પેલે પાર' (૧૯૮૭)ની રચનાઓમાં કવિની આત્મશોધક ભાવના પ્રગટ થઈ છે.
“નંદ સામવેદી' (૧૯૮૦) લલિતનિબંધોનો સંગ્રહ છે. નંદના કલ્પિત પાત્ર દ્વારા લેખકે “સ્વ” સાથે વાતો કરી છે. “ધૂળમાંની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org