________________
૬૧૦
ગામમાં ગર્ભશ્રીમંત વણિક પરિવારમાં થયો હતો. તેમનાં માતાનું નામ કસુંબાબેન અને પિતાનું નામ કેશવલાલ શેઠ હતું. હીરાબેને પ્રાથમિક શિક્ષણ પાટણવાવમાં લીધું હતું. કર્વે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ઉપાધિ મેળવી હતી. હીરાબેને પોતાનું સમગ્રજીવન ગાંધી વિચારધારા પ્રમાણે રાષ્ટ્રસેવા અને સમાજસેવાના કાર્યમાં ન્યોછાવર કર્યું છે.
ગાંધીચીંધ્યા માર્ગે રાષ્ટ્રીય લડતમાં ઝંપલાવનાર હીરાબેન સમાજસુધારાની પ્રવૃત્તિને વેગ આપવાનું મહત્ત્વનું કાર્ય પણ કર્યું હતું. બાળલગ્ન, વિધવાવિવાહની મનાઈ, સ્ત્રી શિક્ષણ પ્રત્યે સૂગ, અસ્પૃશ્યતા વગેરે જેવા કુરિવાજો અને પ્રણાલિકાઓને નાબુદ કરવામાં નોંધપાત્ર પ્રયત્ન કર્યો. પોતાના જીવના જોખમે લોહીનો વેપાર કરતી ટોળીઓના સકંજામાંથી અનેક બહેનોને છોડાવી. આવી બહેનોને સમાજમાં માનભેર પુનઃ સ્થાપિત કરવાનું કાર્ય પણ તેમણે કર્યું હતું. દુ:ખી, જરૂરિયાતવાળી, નિઃસહાય બહેનો માટે રાજકોટ મુકામે કાંતા સ્ત્રી વિકાસગૃહની સ્થાપના કરી સ્ત્રી ઉદ્ધાર પ્રવૃત્તિને વેગ આપવાનું કાર્ય કર્યું. આ સંસ્થાનો લાભ ઇ.સ. ૧૯૪૫થી આજ સુધીમાં અનેક બહેનોએ લીધો છે. બહેનોને શિક્ષિત અને આર્થિક રીતે પગભર કરવામાં તેમને સહાય આપી છે. અનેક સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામ કરનાર હીરાબેનને તેમની બાળકલ્યાણ પ્રવૃત્તિને કારણે ઇ.સ. ૧૯૮૪માં ગુજરાત રાજ્ય તરફથી એવોર્ડ મળેલ છે. તો ઇ.સ. ૧૯૮૯માં તેમની સંસ્થા ‘કાંતા સ્ત્રી વિકાસ ગૃહ'ને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આજે વૃદ્ધાવસ્થાને કારણે સક્રિય રીતે કાર્યરત નથી, છતાં સમાજને
Jain Education International
બૃહદ્ ગુજરાત લાગેલા કુરિવાજ રૂપી લૂણાને દૂર કરવાની હામ તેમના હૃદયમાં છે. વઢવાણ ‘વિકાસ વિધાલય' સંસ્થા દ્વારા બહેતોતે હામ આપતાર
શ્રી અરુણાબેન દેસાઈ
શ્રી અરુણાબેન દેસાઈનો જન્મ ઇ.સ. ૧૯૨૫માં જૂનાગઢ મુકામે પ્રતિષ્ઠિત નાગર પરિવારમાં થયો હતો. ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ પોતાના ફૈબા પુષ્પાબહેન મહેતાના સમાજસુધારણા અને સેવાના કાર્યોમાંથી પ્રેરણા મેળવી તેમણે પણ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. પોતાની ૨૧ વર્ષની વયે ‘‘વિકાસ વિદ્યાલય” વઢવાણની જવાબદારી સ્વીકારી હતી. ઘણી દુ:ખી, ત્રસ્ત, અત્યાચારી તત્ત્વોની ભોગ બનેલી, ગુંડાતત્ત્વોના હાથે રહેસાઈ ગયેલી, મહિલાઓને સંસ્થામાં આશ્રય આપી વ્યવસ્થિત જીવન જીવવા માટે તૈયાર કરવામાં અરુણાબેનનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.
મહિલાઓને પાયાની કેળવણી આપી આર્થિક રીતે પગભર કરવા માટેની તાલીમ આપી સમાજમાં પુનઃ ગૌરવભેર જીવન જીવવા માટે તેમણે સક્રિય કામગીરી કરેલી છે. સમાજના પ્રચલિત કુરિવાજોને તિલાંજલી અપાવવામાં તેમણે મહત્ત્વની કામગીરી કરી છે. આજે ૭૭ વર્ષની વયે પણ તેઓ સમાજસેવા અને સમાજસુધારાના કાર્યોમાં સક્રીય છે. મહિલાઓ અને બાળકો માટેની કામગીરી અનન્ય સાબિત થયેલ છે.
ગુાતમાં
સ્થાપત્યકલા
અને
અધ્યાત્મનો
અદ્ભુત
સંગમ
For Private & Personal Use Only
www.jainelibrary.org