________________
પ્રતિભા દર્શન
પુરુષાર્થ કરી ઉત્તમ વકતૃત્વશક્તિ મેળવી હતી. શરીર નાદુરસ્ત હોવા છતાં ચીમનભાઈએ અસંખ્ય સંસ્થાઓ ચલાવેલી! તેઓ અસંખ્ય સંસ્થાઓના પ્રમુખ કે ઉપપ્રમુખ, મંત્રી કે ટ્રસ્ટીનો હોદ્દો ધરાવતા હતા. એક લેખક તરીકે પણ એમણે ઘણું નોંધપાત્ર લખાણ કર્યું છે.
શ્રી ચીમનભાઈ દૃષ્ટિસંપન્ન મહાપુરુષ હતા. એમની વિચારણા હંમેશા વિશદ અને તર્કપૂત રહેતી. સંયમી અને મિતભાષી હતા. ચીમનભાઈના જીવનકાર્યનો અને સદ્ગુણોનો વિચાર કરીએ તો આપણને કોઈ નવીજ પ્રેરણા સાંપડી રહે. તેમનું સમગ્ર જીવન પ્રેરણા સ્તોત્ર સમું હતું.
સુપ્રસસિદ્ધ તાટયકાર શ્રી ચંદ્રવદન મહેતા
ચંદ્રવદન ચીમનભાઈ મહેતા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ નાટ્યકાર હતા. વડોદરામાં એમનો જન્મ. એક નાટ્યકાર તરીકે એમને અપૂર્વ સફળતા મળેલી. તેઓ ભારતમાં અને વિદેશમાં કેટલીય પરિષદોમાં પ્રમુખસ્થાન ધરાવતા હતા. એ ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર હતા. સાહિત્યનો પ્રસિદ્ધ રણજીતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત પદ્મશ્રીનો ઇલ્કાબ પણ એમને મળેલો.
‘ઇલાકાવ્યો’, ‘આગગાડી’, ‘નાગાબાવા’, ‘મૂંગી સ્ત્રી’, ‘બાંધ ગઠરિયા’, ‘છોડ ગઠરિયા’ વગેરે એમની યશોદા કૃતિઓ છે. એમનું મુખ્ય પ્રદાન નાટકો છે. ગુજરાતી નાટ્યસાહિત્યમાં એમનું નામ ચિરંજીવ રહેશે. એમનાં વ્યાખ્યાનોમાં પણ સંવાદોની શૈલી હતી. જુની રંગભૂમિનાં ગીતો એમને કંઠસ્થ હતાં. સભાસંચાલનની કુદરતીશક્તિ એમનામાં હતી. એક સિદ્ધહસ્ત લેખક તરીકે એમને ભરપૂર આત્મગૌરવ હતું. આથી ઔપચારિક્તાના અને શિસ્તના પણ તેઓ આગ્રહી હતા. રેડિયોની નોકરી કરતા, એટલે પણ શિસ્ત-સમયપાલનને અનુસરતા.
એક વ્યક્તિ તરીકે ચંદ્રવદન મહેતા પ્રેમાળ હતા. સાથોસાથ
સ્પષ્ટ વક્તા પણ ખરા! વર્ષો સુધી એકાકી જીવન વિતાવતા ચં.ચી. મહેતાને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ રહેવાની ખાસ વ્યવસ્થા કરી આપેલી. નિયમિત જીવન, વિશાળ વાંચન અને આજુબાજુની ઘટનાઓની નાટ્યાત્મકતા શોધી કાઢવાની એમની ટેવે એમને એક અલગારી લેખક બનાવી દીધા. એમની નાટ્ય સેવા ગુજરાત કદી ભૂલી શકશે નહિં. ઇ.સ. ૧૯૯૧માં વડોદરા ખાતે નેવું વર્ષની વયે એમનું અવસાન થયેલું.
તટસ્થ સાહિત્ય મીમાંસક
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
ગુજરાતમાં ત્રણ ‘વી' પ્રસિદ્ધ હતા. વિજયરાય વૈદ્ય, બૃ. પ્ર. ૭૨
Jain Education International
> ૫૬૯
વિશ્વનાથ ભટ્ટ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. એ પૈકી શ્રી વિષ્ણુભાઈ ત્રિવેદીનો જન્મ ચોથી જુલાઈ ૧૮૯૯ના રોજ ઉમરેઠમાં થયો હતો. પિતા સરકારી ખાતામાં હોવાથી વારંવાર બદલી થતી. પરિણામે વિષ્ણુભાઈનું શિક્ષણ જુદી જુદી શાળાઓમાં થયેલું. એમ. એ. સુધીનો ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યા બાદ સુરતની એમ.ટી.બી. કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયેલા.
વિષ્ણુભાઈ ત્રિવેદી આપણાં વયોવૃદ્ધ સાક્ષર હતા. એમનું પ્રદાન સાહિત્યના વિવેચનક્ષેત્રે છે. સાહિત્યવિવેચનના સિદ્ધાંતો અને ભારતીય-પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાનો એમણે ગહન અભ્યાસ કરેલો. તાટસ્થ્ય એમના વિવેચનનો ગુણ છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પાસેથી ગુજરાતી સાહિત્યને ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’, ‘પરિશીલન’, ‘ઉપાયન,’, ‘ગોવર્ધનરામ : ચિંતક અને સર્જક', ‘સાહિત્ય સંસ્પર્શ’ જેવાં નોંધપાત્ર પુસ્તકો મળ્યાં છે.
એમને વિવેચન દ્વારા સાહિત્યની સેવા બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ, કેન્દ્રની સાહિત્ય અકાદમીની ફેલોશીપ, ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, રાજાજી લીટરરી એવોર્ડ વગેરે ચંદ્રકો, પારિતોષિકો, પુરસ્કારો મેળવ્યા. સાહિત્યના વિવેચક તરીકે વિષ્ણુભાઈનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં હંમેશા આદરપૂર્વક લેવાય છે. તેમણે જે કાંઈ લખ્યું છે તે સંનિષ્ઠ, સઘન, સત્ત્વશીલ અને મનનીય છે એટલે જ કેટલીકવાર તેમના વિવેચનલેખોમાં કવિતા જેવો આનંદ અનુભવાય છે. તમામ ધર્મો પ્રત્યે સમાદર ધરાવતા આ સાક્ષરનું ઇ. સ. ૧૯૯૧માં ૯૨ વર્ષની વયે સુરત મુકામે અવસાન થયું.
સાધુચરિત અધ્યાપક
શ્રી ગૌરીપ્રસાદ ઝાલા
પ્રોફેસર ગૌરીપ્રસાદ ઝાલા એટલે એક સાધુચરિત અધ્યાપક. મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત-ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કરનાર ઝાલા સાહેબને જીવનના અંત સુધી એ જ કોલેજમાં નિષ્ઠાપૂર્વક કામ કરેલું. અલબત્ત એમને ઉચ્ચતર સ્થાન કે પદ પ્રાપ્ત થવાની વારંવાર તક મળતી હોવા છતાં તેઓ સેંટ ઝેવિયર્સ કોલેજના વર્ગને સ્વર્ગ સમજી ત્યાં જ રહેલા.
ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાનો જન્મ ઇ. સ. ૧૯૦૭માં જામનગર મુકામે થયો હતો. એમના પિતા જામનગરના જાણીતા વૈદ્ય હતા. ઝાલા સાહેબ મુંબઈમાં સેંટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતા અને અભ્યાસ પૂરો થતાં એ જ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક થયેલા. વિદ્યાર્થીઓમાં પ્રિય ઝાલા સાહેબ સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. કોલેજમાં એમની હાજરી નિયમિત હોય! અધ્યાપક તરીકે
For Private & Personal Use Only
www.jainelibrary.org