________________
પ૬૮ જે
વોકિંગ એન્સાઇક્લોપીડિયા
શ્રી બચુભાઈ રાવતા કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવત આપણા એક સંનિષ્ઠ સંસ્કાર પુરુષ હતા. “કુમાર' માસિક દ્વારા અરધી સદી કરતાં વધુ સમય સુધી ગુજરાતના સંસ્કાર ઘડતરમાં એમણે વિશિષ્ટ યોગદાન આપ્યું. બચુભાઈ આજીવન કુમારને સમર્પિત રહેલા, ‘કુમાર'નો પર્યાય બની ગયેલા. “કુમાર”ને ભોગે એમણે બીજી કોઈ પ્રસિદ્ધિ કે પ્રાપ્તિની પ્રવૃત્તિ નહોતી કરી. આથી જ “કુમાર” માત્ર સામયિક ન રહ્યું, પણ ગુજરાતની એક સંસ્કાર સંસ્થા બની રહ્યું. ગુજરાતની પ્રજાના સાંસ્કૃતિક ઘડતરમાં કુમાર'નો અને ‘કુમાર'ના ઘડતર - સંચાલનમાં બચુભાઈનો સિંહફાળો રહેલો છે.
કુમાર' કાર્યાલયમાં જવું અને કામ કરવું એમની જીવનચેતના હતી. એના આત્મીય પુરુષાર્થને કારણે જ “કુમાર” લાંબી મજલ કાપી શક્યું. “કુમાર'નું ધોરણ જાળવી રાખવા માટે બચુભાઈ હંમેશા ચીવટ રાખતા. સિદ્ધહસ્ત કવિ કે લેખકની પણ નબળી કૃતિ પરત કરવાની હિમ્મત એમના તંત્રીપણાની ગરિમા હતી. વર્તમાન સમયના મોટામોટા કવિઓ આજે પણ પોતાની પ્રથમ કૃતિ બચુભાઈના 'કુમાર'માં પ્રગટ થયાનો ગર્વ અનુભવે છે. એ દૃષ્ટિએ સાહિત્યકારો ઘડવાનું કામ પણ બચુભાઈએ કરેલું ગણાય.
બચુભાઈનો અભ્યાસ તો મેટ્રિક સુધીનો જ હતો, પણ વાંચનનો તીવ્ર શોખ. સાહિત્ય, કલા, જયોતિષ વગેરેનું એમનું વાંચન એટલું વિશાળ હતું કે, કેટલાક એમને વોકિંગ એન્સાક્લોપીડિયા’ કહેતા! છતાં એમનું વ્યક્તિત્વ નિરાભિમાની હતું. “કુમાર” અને “બુધસભા' ચલાવવા ઉપરાંત તેઓ મુંબઈની ‘લેજિસ્લેટીવ કાઉન્સીલના સભ્ય તરીકે પણ નિયુક્ત થયેલા. આમ, તેઓ પ્રવૃત્તિધર્મી હતા.
શાળાના અભ્યાસ દરમ્યાન એમનાં વાંચવામાં એક અંગ્રેજી વાક્ય આવેલું : “બધા માણસ મહાન નથી થઈ શકતા, પણ બધા માણસ સજજન જરૂર થઈ શકે છે.” બચુભાઈએ આ વાક્યને પોતાના જીવનના એક આદર્શ તરીકે સ્વીકારી લઈ સજજન બનવાનો પુરુષાર્થ ખેડ્યો હતો. તેઓ સજ્જન થયા અને જીવનભર રહ્યા. સાથે સાથે મહાન પણ થયા. પરિણામે ગુજરાતને એક ‘મહાન સર્જન’ પ્રાપ્ત થયા. ૮૨ વર્ષની વયે અમદાવાદમાં તેમનું દેહાવસાન થયેલું.
ચિંતનશીલ લેખક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના
બૃહદ્ ગુજરાત, સૂત્રધાર હતા. લગાતાર પચ્ચીસ વર્ષ સુધી એમણે એ પદની કાર્યવાહી કરેલી. ચિંતનશીલ લેખક અને આદર્શ સમાજ સુધારક પરમાનંદભાઈ એક ઉત્તમ વ્યક્તિ હતા. પરમાનંદભાઈનો પ્રકૃતિ પ્રેમ અનન્ય હતો. સૌન્દર્ય પ્રકૃતિમાં હોય કે જીવનમાં તેની પ્રશંસા કરવી એમનો ગુણ હતો. એમના યુવાનીના દિવસો ગાંધીજીની અસરમાં વિતેલા. પરમાનંદભાઈની ધર્મ વિશેની સમજ ગહન ચિંતનમાંથી ઉદ્ભવેલી. મનને શાંતિ મળે એવા કથાસંવાદો અને જૈનમુનિનાં વચનો શ્રવણ કરવા એમને વિશેષ પ્રિય હતા.
“મુંબઈ જૈન યુવક સંઘ'ના માળખામાં એમણે કેટલાંક મહત્ત્વપૂર્ણ પરિવર્તનો કરેલાં. ખાસ કરીને ‘સંઘ'નું સભ્યપદ જૈનેતર માટે પણ તેમણે ખૂલ્લું મુક્યું હતું. ‘સંઘ'ના મુખપત્ર 'પ્રબુદ્ધ જૈનનું નામ પણ ‘પ્રબુદ્ધ જીવન' રૂપે એમના દ્વારા જ બદલાયું.
મુંબઈના જાહેર જીવનમાં તેમનું નામ પ્રખ્યાત હતું. કોઈપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવાની કુદરતી સૂઝ તેમની ખાસિયત હતી. એમના આયોજનમાં થયેલા કાર્યક્રમોની એક જુદી જ ચમક રહેતી!
સત્ય, સૌન્દર્ય,પ્રસન્નતા, વિચારશીલતા, ગુણગ્રાહકતા, સ્વસ્થતા, કલારસિકતા, સંનિષ્ઠા, ઉદારતા, મતાંતરક્ષમતા, નિર્દભતા, નિર્ભિક્તા, વત્સલતા જેવા સદ્ગુણોનો સરવાળો એટલે પરમાનંદભાઈનું સમાજજીવન. ૭૮ વર્ષની વયે મુંબઈમાં એમનું અવસાન થયેલું.
અનેક સંસ્થાઓના સૂત્ર સંચાલક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
ચીમનલાલ ચકુભાઈ શાહ એટલે આપણા રાષ્ટ્રની એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ. સ્વાતંત્ર્ય સેનાની, ભારતીય બંધારણના એક ઘડવૈયા, લોકસભાના સભ્ય, જૈન સમાજના અગ્રણી નેતા, નામાંકિત સોલીસિટર, સામાજિક-ધાર્મિક-શૈક્ષણિક સંસ્થાઓના સૂત્ર સંચાલક, ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી, પીઢ ચિત્રકાર, વિચારશીલ લેખક, તત્ત્વચિંતક જેવી બહુવિધ ભૂમિકા એમણે ભજવેલી.
ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે પાણશીણા ગામે થયો હતો. પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં ભણવામાં હોશિયાર ચીમનભાઈ સ્કોલરશીપ મેળવી બી.એ; એમ.એ. અને એલ.એલ.બી. થયા હતા. ચીમનભાઈ એક સેલ્ફ મેઈડ મેન હતા.
પોતાનાં વ્યક્તિત્વની મર્યાદાઓને જ પોતાની શક્તિ બનાવવાની કુદરતી શક્તિ એમણે કેળવી હતી. બોલતી વખતે ) એમની જીભ તોતડાતી હોવા છતાં એમણે અથાગ મહેનત કરી,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org