SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન સમાપન અને આભારદર્શન ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત જાણીતા સાક્ષરો અને લેખકોની કલમે લખાયેલ આ ગ્રંથની પરિચયાત્મક લેખમાળા વિશિષ્ટ પ્રતિભાઓને જાણવા, સમજવા અને તેની નિરાળી જીવનશૈલીનો અભ્યાસ કરનારાઓને ઠીક ઠીક રીતે ખૂબ ઉપકારક બની રહેશે. ગ્રંથનું કથાવસ્તુ આપણને કાંઈક પ્રેરે છે એમ વાંચકને જરૂર લાગશે. > ૫૫ ઇતિહાસ કથાઓ આલેખીએ કે વ્યક્તિપરિચયો ગ્રંથસ્થ કરીએ ત્યારે આપણું મૌલિક તેમાં કશું હોતું જ નથી. સિવાય કે ગુજરાતી ભાષામાં યોગ્ય રજૂઆત હોય, ઇતિહાસની આ સંસ્કાર ગાથામાં અત્રે જે કાંઈ પ્રગટ થયું છે તે ઘણા બધા આધારો, સંદર્ભો, રૂબરૂ મુલાકાત, પત્રકારત્વ અને અનેક ક્ષેત્રોના જે તે વિષયોના અભ્યાસીઓના અભિગમો, ચિંતકો-તપસ્વીઓની સિદ્ધિઓ અને તેના જીવનનો નિષ્કર્ષ સાદર રજૂ કરવા માટેનો અમારો આ ગૌરવપૂર્ણ પુરુષાર્થ સત્સંકલ્પ બની રહેશે. અમે તો આ ભૂમિની પ્રતિભાઓનાં ગૌરવને આ વિરાટ ગ્રંથ દ્વારા મહાવિરાટને જોવાનો, આપ સૌને અમારાં દર્શનમાં સહભાગી બનવાનો સત્સંકલ્પ લઈને બેઠા છીએ, આ ગ્રંથ એ સત્સંકલ્પનું જ ફળ છે. આ અમારી પ્રતિષ્ઠા નથી એ આપની, આપના ગ્રંથાલયની, નગરની સૌની પ્રતિષ્ઠા બની રહેશે. ગ્રંથવિમોચનના કાર્યક્રમમાં આપેલા સહયોગ બદલ ગાંધીનગરની કડી શિક્ષણ સંકુલ સંસ્થાનો તથા શ્રી પુરશોતમભાઈ રૂપાલા અને શ્રી દોલતભાઈ ભટ્ટના ખૂબ જ ઋણી છીએ. ગ્રંથરત્નને વૈવિધ્યસભર બનાવવામાં જ્યાં જ્યાંથી માહિતી લીધી છે તે સૌનો ઋણસ્વીકાર કરતાં આનંદ થાય છે. જે તે ક્ષેત્રના જ્ઞાતાઓએ આપેલા સહયોગ માટે પણ સૌના અત્યંત ઋણી છીએ. આ ગ્રંથની સામગ્રી તૈયાર કરવામાં ગુજરાતીના અધ્યાપક ડૉ. માલતિબેન નાયક તથા ડૉ. માલતીબેન કે. શાહે, વિનોદભાઈ શેઠ તથા મુકેશભાઈ સરવૈયા (આત્માનંદસભા)એ આપેલી સેવાની સહર્ષ નોંધ લઈએ છીએ. પ. પૂ. દોક્ષા દાનેશ્વરી આ. ભ. શ્રી ગુણરત્નસારેજી મ. ના શિષ્યરત્નો પૂ. પં. શ્રી રવિરત્નવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મ. તેમની સુંદર સંયમનો આરાધના સાથે અમારા છેલ્લા બે પ્રકાશનોમાં સહયોગી બન્યાં છે. આ પ્રકાશનમાં જાણેઅજાણે કોઈ પણ ધર્મસંપ્રદાય કે પરંપરા વિરુદ્ધ કોઈપણ જાતનો ઉલ્લેખ થયો હોય, કે કોઈપણ વિગતમાં જરા સરખો પણ અનાદર કે આવવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા માંગી લઈએ છીએ. ગ્રંથના છાપકામમાં જ્ઞાનચંદજી જૈનના સુપુત્રો નિરજભાઈ અને રાજૂભાઈએ ખૂબજ કાળજી લીધી છે. અજયભાઈ ડોડીયા તથા દેવભાઈ પાઠકની સેવા નોંધપાત્ર છે. વિશ્વકલ્યાણની ઉમદા ભાવનાને બળવત્તર બનાવવા અને સાર્થક ક્ષણોનો સદુપયોગ કરી લેવાની વિચારણાએ જ આ કાર્ય ઝડપથી થઈ શક્યું છે. શ્રી મનુભાઈ શેઠનો સહયોગ અનન્ય રહ્યો છે. વ્યક્તિઓની પરિચય નોંધમાં અમારાં ટાંચાં સાધનો, પાનાંઓની જગ્યાની મર્યાદાને કારણે કેટલાક પરિચયો ટૂંકાવ્યા છે. મિત્રો અને મુરબ્બીઓએ અમને પ્રેરણા, માર્ગદર્શન આપી અમારો વાંસો થાબડ્યો છે. એ સૌને આભારના આસોપાલવે શોભાવીએ છીએ. આ મોટા આર્થિક જોખમમાં પણ જે કોઈએ ગ્રંથના આગોતરા ગ્રાહક થવામાં સહયોગ આપ્યો છે, તે સૌના સૌજન્યની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. ખાસ કરીને મુંબઈ હીરાબજારની ખ્યાતનામ પેઢી ‘મહેન્દ્ર બ્રધર્સ’ તરફથી સારો એવો સહયોગ મળ્યો છે. એક વાતની નોંધ ન લઉં તો આ પુસેવચન અધૂરું રહે. ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત વાર્તાકાર અને સંનિષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy