________________
૫૩૦
રામભાઈએ સંભાળેલી. શ્રી મહાદેવભાઈ દેસાઈએ ‘નવજીવન'માં ‘વિરામકાળની છાવણી'ના શીર્ષક નીચે તેમની રચનાત્મક પ્રવૃત્તિ વિશે નોંધ લખી હતી. ઇ. સ. ૧૯૩૩માં ચમનભાઈ વૈષ્ણવને ક્ષ થતાં તેમની સારવાર માટે પંચગની સાથે ગયેલા. ઇ. સ. ૧૯૩૪માં ચમનભાઈ હવાફેર માટે પોરબન્દર આશ્રમમાં રહ્યા ત્યારે ચમનભાઈની પ્રેરણાથી શ્રી મથુરાદાસભાઈ ભુપ્તા સાથે *લોકોપયોગી ગ્રંથમાળા' શરૂ કરી. ઇ. સ. ૧૯૩૫માં રજન સેવક સંઘ'ના ફાળા માટે બ્રહ્મદેશ અને કરાંચીનો પ્રવાસ કર્યો. ઇ. સ. ૧૯૩૬માં નર્મદાબહેન રાણા સાથે લગ્નગ્રંથીથી જોડાયા. ઇ. સ. ૧૯૩૭-૩૮ બે વર્ષ નઈ તાલીમની શાળા ‘નૂતન ગ્રામ વિદ્યાલય' ગંભીરામાં આચાર્ય તરીકે કામ કર્યું. નર્મદાબહેને ત્યાં બાલમંદિર ચલાવ્યું. તેઓએ ગંભીરામાં રાષ્ટ્રીય કેળવણી અને આશ્રમી જીવનનું વાતાવરણે રચ્યું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોનો આદર અને અનહદ પ્રેમ સંપાદન કર્યો. હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ૪૦ જણાની ટુકડી સાથે સ્વચ્છતા વિભાગમાં કામ કર્યું. રાત્રે છાવણીઓમાં વાર્તાઓની રસણ પીરસી.
દલિત-પીડિતોના ભેરુ રામભાઈ ગંભીરામાં બારૈયા કોમની જિન્દગી નજીકથી જોવા માટે ‘ભૂંડિયા પરા'માં કરાંઠિયોના ઝુંપડામાં જઈને રહ્યા. તે લોકોના પ્રત્યક્ષ પરિચયના અનુભવો આધારે 'જગતનો તાત' નવલકથાનું સર્જન કર્યું,
ઇ. સ. ૧૯૩૯માં રાજકોટમાં જવાબદાર રાજતંત્રની લડત શરૂ થતાં ત્યાં જઈ પહોંચ્યા. સંગ્રામ સમિતિ દ્વારા ગુપ્ત રીતે પ્રસિદ્ધ થતી પત્રિકાના સંપાદન-પ્રકાશનની જવાબદારી સંભાળી. વાગુદડ છાવણીના કેન્દ્ર સંચાલક તરીકે કામ કર્યું. તો સૌથી મહત્ત્વની કામગીરી તો એ કરી કે સત્યાગ્રહીઓ પરના રાજ્યના જુલ્મો, અમાનુષી મારની વિગતો જાતે એકઠી કરીને પૂ. ગાંધીજીને જણાવેલી. ખાસ તો ગુણવન્તભાઈ પુરોહિત પર પોલીસે ગુજારેલા ત્રાસની સમગ્ર વીતક કથા બાપુને જણાવેલી. જેની પૂ. બાપુએ રાજકોટ આવ્યા ત્યારે ખરાઈ કરેલી. તે સંદર્ભમાં ગુણવન્તભાઈએ લખ્યું : પૂ. બાપુના વિશ્વાસુ સૈનિક તરીકેની રામભાઈના વ્યક્તિત્વની ઊંડી છાપ મારા મન પર અંકિત થઈ ગઈ.'' ત્યારબાદ તેમણે ‘‘રાજકોટ સત્યાગ્રહ" નામે દસ્તાવેજી ઇતિહાસનું પુસ્તક લખ્યું. થોડો સમથ નાનાભાઈ ભટ્ટ પાસે આંબલા જઈને રહ્યા.
ઇ. સ. ૧૯૪૦-૪૧માં ગાંધીજ્ઞાન મંદિર, માધવપુરમાં રહીને અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિ અને હરિજનશાળા ચલાવી. ઇ. સ. ૧૯૩૭માં શ્રી રતુભાઈ અદાણી વગેરે મિત્રોએ શેત્રુંજીને કાંઠે તવમાં (જિ. અમરેલી) શ્રમજાવી સર્વોદય આશ્રમ'ની સ્થાપના કરી હતી. ઇ. સ. ૧૯૪૧માં રામભાઈ કુટુંબ સાથે તરવડા જઈને વસ્યા. ગ્રામસેવક વિદ્યાલય'માં જોડાયા. નર્મદાબહેને
Jain Education International
બૃહદ્ ગુજરાત જમીન લઈને સ્વતંત્ર રીતે ખેતી કરીને જાતમહેનતથી સુંદર રામવાડી વિકસાવી. રામભાઈ સમાજોત્કર્ષની વિવિધ પ્રવૃત્તિ અને લેખન કાર્ય કરતા રહ્યા. ઇ. સ. ૧૯૪૨ના આખરી સંગ્રામ વખતે રામભાઈએ ભાવનગરમાં સત્યાગ્રહ છાવણીનું સંચાલન, જંત્ર આઝાદી' પત્રિકાનું લેખન અને જાહેરસભામાં પ્રેરક ઉદ્બોધનનાં કાર્યની સંપૂર્ણ જવાબદારી વહન કરી. ભાવનગર બંદર ઉપર દારૂગોળાની સ્ટીમર રોકવાના સત્યાગ્રહમાં પકડાયા. સત્યાગ્રહીઓને આંબલા અને બુધેલ જેલમાં ચાર માસ નજદ રા ત્યારે તેમના ખેતા હતા રામભાઈ. એમણે જૈનિવાસને રાષ્ટ્રીયગાળામાં ફેરવી નાખેલો.
બાલશિક્ષણ પ્રણેતા ગિજુભાઈનાં સહકાર્યકર શ્રીમતી તારાબહેનને મોડકે પુજ્ય મહાત્માની પ્રેરણાથી મહારાષ્ટ્રમાં થાણા જીલ્લાના બોરડી ગામે આદિવાસી બાળકો માટે ‘ગ્રામ બાલ શિક્ષા કેન્દ્ર'ની સ્થાપના કરી. તારાબહેને રામભાઈનો સહકાર માગ્યો. રામભાઈ કુટુંબ સાથે બોરડી ગયા. ઇ. સ. ૧૯૪૫-૪૬ બે વર્ષ ઉપાચાર્ય તરીકે બાલશિક્ષણનું કાર્ય કર્યું. કાર્યકરોને તેઓ મોટાભાઈ તરીકે પ્રેમથી માર્ગદર્શન આપતા. ગિજુભાઈનાં શિા નર્મદાબહેન બાલવાડીના કામમાં મદદરૂપ થયાં. શ્રી અનુતાઈ વાધે લખ્યું છે કે, “ગ્રામ બાલશિક્ષા કેન્દ્ર' સંસ્થાની કાર્યપ્રણાલી પર આશ્રમજીવનની જે છાપ પડેલી તે આજ સુધી તાજી છે. એ રામભાઈની ચિરંજીવી સ્મૃતિ છે.'
ઇ. સ. ૧૯૪૮માં મોટાભાઈ લક્ષ્મીશંકરનું અકાળ નિત થતાં, ગાંધી આશ્રમ, છાયાની વ્યવસ્થા કરવા માટે રામભાઈ બોરડી છોડીને પોરબન્દર આવ્યા. આશ્રમ ઉપરાંત કીર્તિમંદિરની વ્યવસ્થા સંભાળી. અને ગ્રામોતિ અર્થે બરડા પંથકના મહેરપ્રદેશમાં પોરબન્દરથી ૧૨ માઈલ દૂર ખાંભોદરમાં સર્વોદય આશ્રમ સ્થાપ્યો.
સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ સોરઠમાં જિલ્લા પંચાયત અધિકારી તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી. જૂનાગઢમાં રહીને ઇ. સ. ૧૯૫૬-૫૭ બે વર્ષ સુધી તેઓએ આ પદ પર રહીને કામ કર્યું. વહીવટી કામમાં કુનેહથી ઉકેલ લાવવાની અને ગામડાંના લોકોના નાનામોટા કજિયાઓને ઘરમેળે પતાવી આપવાની તેમનામાં આગવી કોઠાસૂઝ હતી. ખાંભોદરમાં અને સમગ્ર સૌરમાં પંચાયત અધિકારી તરીકેની કામગીરીમાં મહેર અને આર જેવી પતિઓને સંપથી રહેતી કરેલી. 'કોઠાડાહ્યા માણસ' તરીકે રામભાઈ અનોખા વિષ્ટિકાર હતા. શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદીએ નોંધ્યું છે કે : ‘‘કેટલાંયે ઘરના અને સંસ્થાઓના ઝગડ કે ગેરસમજો તેમની તૈયા ઉકલતથી દૂર થયાં હશે.
ઇ.સ. ૧૫૩૫માં ફરી ગાંધી આશ્રમ અને અસ્પૃશ્યતા નિવારાની પ્રવૃત્તિ સંભાળી લીધી. પૂ. સંતબાલજી
For Private & Personal Use Only
www.jainelibrary.org